કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત ત્રણ નેતાઓ ખેડૂત આંદોલનને લઇને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચ્યાં છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસને માર્ચ નીકાળવાની મંજૂરી મળી નહોતી, જેને લઇને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અન્ય કેટલાંક નેતાઓની અટકાયત કરવામાં આવી. જો કે પોલીસ દ્વારા થોડા સમય બાદ કોંગ્રેસના નેતાઓને છોડી દેવામાં આવ્યાં.
કોંગ્રેસની માર્ચ પહેલા પ્રિયંકા ગાંધીની કરાઈ અટકાયત
કૃષિ કાયદાના વિરોધને લઇને પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસ નેતાઓની અટકાયત બાદ પોલીસ દ્વારા છોડી દેવામાં આવ્યાં છે.
Congress leaders including Smt. @priyankagandhi detained by Delhi police as coward Modi Govt attempts to stop us!
"Any dissent against this govt is classified as having elements of terror. We are undertaking this march to voice our support for the farmers," -@priyankagandhipic.twitter.com/F9Q2CqBZYJ
દિલ્હીમાં કોંગ્રેસની માર્ચ પહેલા પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસના નેતાઓ વિજય ચોકથી રાષ્ટ્રપતિ ભવન માર્ચ યોજવાના હતા. જો કે આ અગાઉ કોંગ્રેસની આ માર્ચને પોલીસની મંજૂરી મળી નથી.
Delhi Police take Priyanka Gandhi and other Congress leaders into custody.
They were taking out a march to Rashtrapati Bhavan to submit to the President a memorandum containing 2 crore signatures seeking his intervention in farm laws issue. https://t.co/YHBbXmF8nCpic.twitter.com/SBB8BwyJ1P
આ સાથે કોંગ્રેસના ત્રણ નેતાને જ રાષ્ટ્રપતિ સાથે મુલાકાતની મંજૂરી મળી હતી. જેને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત ગુલામ નબી આઝાદ, અધિર રંજને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી છે.
રાહુલ ગાંધીએ પીએમ મોદી પર તાક્યું નિશાન
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારના રોજ કૃષિ કાયદાના મુદ્દા પર રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી, ત્યાર બાદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું. રાહુલ ગાંધીએ કહ્યું રાષ્ટ્રપતિને અમે જણાવ્યું છે કે આ કાયદાથી ખેડૂતોને નુકસાન થવાનું છે, દેશ જોઇ રહ્યો છે કે ખેડૂત કાયદા સામે અડગ ઉભો છે.
I want to tell the PM that these farmers are not going to go back home until these farm laws are repealed. Govt should convene a joint session of Parliament and take back these laws. Opposition parties stand with farmers & labourers: Congress leader Rahul Gandhi https://t.co/1U7QzsYWrnpic.twitter.com/NbdGMrn9Yc
હું પ્રધાનમંત્રીને જણાવું છે કે ખેડૂતો હટશે નહીં, જ્યાં સુધી કાયદો પરત નહીં કરવામાં આવે ત્યાં સુધી કોઇ પાછા હટશે નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર સંસદનું સંયુક્ત સત્ર બોલાવે અને આ કાયદાને તરત પરત ખેંચે. રાહુલ ગાંધીએ કહ્યું કે આજે ખેડૂત દુઃખ અને દર્દમાં છે, કેટલાંક ખેડૂતોના મૃત્યું થયા છે.
સરકાર સામે અવાજ ઉઠાવનાર દેશદ્રોહીઃપ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ખેડૂતો માટે એવા શબ્દોનો ઉપયોગ કરવો પાપ છે, જો સરકાર તેમને દેશદ્રોહી કહી રહી છે સરકાર પાપી છે. પ્રિયંકા ગાંધી આગળ કહ્યું કે અમે લોકશાહીમાં રહીએ છીએ અને તેઓ ચૂંટાયેલા સાંસદ છે અને તેમને રાષ્ટ્રપતિને મળવાનો અધિકાર છે. સરકાર આ લાખો ખેડૂતોનો અવાજ સાંભળવા તૈયાર નથી.