ગૃહમંત્રી અમિત શાહે ખેડૂત આંદોલન પર વિદેશી હસ્તીઓની ટ્વીટ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે કોઈ પણ પ્રચાર દેશની એકતાને ઘટાડી શકશે નહીં.
ખેડૂતોના આંદોલનને મળી રહ્યું છે સમર્થન
રિહાન્ના, ગ્રેટા અને મિયા ખલીફાનું મળ્યું સમર્થન
વિદેશ મંત્રાલયે આપી હતી પ્રતિક્રિયા
ગૃહમંત્રી અમિત શાહે ખેડૂત આંદોલન પર વિદેશી હસ્તીઓનાં ટ્વીટ પર પ્રતિક્રિયા આપી છે.
ગૃહમંત્રી અમિત શાહે આપી પ્રતિક્રિયા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કર્યું હતું. તેમણે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવના નિવેદનને ટાંક્યું છે કે કોઈ પણ પ્રોપગેંડા દેશની એકતાને નબળી નહીં પાડી શકે, કોઈ પણ અપપ્રચાર દેશને નવી ઊંચાઈએ જતા રોકી શકશે નહીં. ભારતનું ભવિષ્ય પ્રોપગેન્ડા નહીં, પરંતુ પ્રગતિ નક્કી કરશે. ભારત પ્રગતિને પામવા એકીકૃત બનીને રહેશે. પોપ સિંગર રિહાન્ના પછી, યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસની ભાણી અને પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ જેવી ઘણી ઇન્ટરનેશનલ સેલેબ્સ સહિત ઘણા લોકોએ ખેડૂતોના પ્રદર્શનને ટેકો આપ્યો છે.
વિદેશ મંત્રાલયે પણ જાહેર કર્યું હતું નિવેદન
વિદેશ મંત્રાલયે આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, " અમારી કામગીરી અંગે ઉતાવળ ટિપ્પણી કરતા પહેલા તથ્યોની તપાસ થવી જોઈએ." મહત્વનું છે કે વિદેશ મંત્રાલયે આ મામલે એક વિસ્તૃત નિવેદન આપીને સ્પષ્ટતા કરી હતી. મંગળવારે આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર રિહાન્નાએ ટ્વિટર પર એક સમાચાર શેર કરતાં લખ્યું કે, "આપણે આ વિશે શા માટે વાત નથી કરી રહ્યા?" જેમાં તેણે ખેડૂત આંદોલનની એક ખબરને શેર કરી હતી, તે જ સમયે જાણીતી પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે પણ આ મામલે ખેડૂતોનું સમર્થન કર્યું હતું.
કમલા હેરિસની ભાણીએ પણ કર્યું ટ્વિટ
યુએસના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની ભાણી મીના હેરિસે કહ્યું, "આ કોઈ સંયોગ નથી કે એક મહિનાનો સમય નથી થયો કે વિશ્વની સૌથી જૂની લોકશાહી પર હુમલો થયો છે અને જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, ત્યારે સૌથી મોટા લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે.
No propaganda can deter India’s unity!
No propaganda can stop India to attain new heights!
Propaganda can not decide India’s fate only ‘Progress’ can.
જો કે મામલે બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર, અજય દેવગન, સુનીલ શેટ્ટી, કરણ જોહર અને કંગના રનૌતે પણ વિદેશી હસ્તીઓની ટ્વીટ પર પ્રતિક્રિયા આપી છે.લગભગ છેલ્લા 70 દિવસથી દિલ્હીની સરહદો પર ત્રણ નવા કૃષિ કાયદાઓનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. અહીં પોલીસે સુરક્ષાની દ્રષ્ટિએ કિલ્લેબંધી કરી છે અને તંત્રે અહીં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દીધી છે.