ખેડૂત આંદોલનનો આજે 22મો દિવસ છે અને દિલ્હીના કડકડતી ઠંડીમાં અન્નદાતા રસ્તા પર છે ત્યારે આ આંદોલન પર આજે ફરીથી સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી હાથ ધરાશે.
ખેડૂત આંદોલન પર સુપ્રીમમાં સુનાવણી
કોર્ટે સરકાર અને ખેડૂત સંગઠનનો પાઠવી હતી નોટીસ
ખેડૂતોને રિઝવવા ભાજપ દ્વારા કિસાન સંમેલન
આજે ફરી સુનાવણી
ખેડૂત આંદોલન પર બુધવારે સુનાવણી કરવામાં આવી હતી જેમાં કોર્ટે સરકાર અને ખેડૂતો વચ્ચે સમાધાન માટે કમિટી બનાવવા કહ્યું અને કેન્દ્ર, પંજાબ-હરિયાણા સરકાર તથા આઠ ખેડૂત સંગઠનને નોટીસ પાઠવી છે. હવે આગળ શું કરવું છે તેના માટે આજે ફરીથી અદાલતમાં સુનાવણી કરવામાં આવશે.
શું છે આંદોલનની અપડેટ
ખેડૂત આંદોલન આજે પણ કરવામાં આવી રહ્યો છે અને આંદોલનના મુદ્દાઓ પર સમાધાન કરવા માટે અદાલતે કમિટી ગઠિત કરવાની ભલામણ કરી હતી જેના પર આજે મોટો નિર્ણય સામે આવી શકે છે. બીજી તરફ દિલ્હીની સીમાઓ હાડ થીજવતી ઠંડીની વચ્ચે ખેડૂતો અડગ છે. ગઈકાલે જ સિંઘુ બોર્ડર પર એક ખેડૂતના આપઘાત બાદથી પરિસ્થિતિ વધુ તંગ જોવા મળી રહી છે. બાબા રામ સિંહના આપઘાત બાદ રાહુલ ગાંધીએ પણ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે.
ભાજપે કમર કસી
ખેડૂતો એક તરફ કહી રહ્યા છે કે કોઈ પણ ભોગે આંદોલન તો ચાલુ જ રહેશે જ્યારે બીજી તરફ ભાજપે પણ કમર કસી લીધી છે. આજે દેશભરમાં ભાજપ દ્વારા વિવિધ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે બરેલીમાં યોગી આદિત્યનાથ ખેડૂતોને સંબોધિત કરવાના છે.
ગુજરાતમાં ખેડૂતોને રીઝવવા પ્રયાસ
ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને વચ્ચે રાજ્યમાં ભાજપ દ્વારા ખેડૂતોને રિઝવવા જન જાગરણ અભિયાન શરુ કરવામાં આવશે. આ સાથે આગામી 17,18,19 ડિસેમ્બરના રોજ ભાજપ દ્વારા કિસાન સંમેલન યોજવામાં આવશે. ભાજપ દ્વારા રાજ્યમાં આગામી 10 અલગ-અલગ જગ્યાઓ કિસાન સંમેલન યોજાશે. આ સંમેલનને રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી, ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સંબોધન કરશે.
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનનો આજે 22મો દિવસ છે. ગુજરાતમાંથી 10 હજાર ખેડૂતો દિલ્લી પહોંચવાની તૈયારીમાં છે. 15 દિવસમાં 10 હજાર ખેડૂતો દિલ્લી પહોંચશે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં ખેડૂતો તબક્કાવાર દિલ્હી પહોંચે તેવો નિર્ણય લેવાયો હતો. આ પહેલા દિલ્હી બોર્ડર પર પણ બેઠક મળી હતી.