છેલ્લા કેટલાક દિવસ દરમિયાન થયેલા માવઠાને લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માવઠાથી નુકસાન મુદ્દે સર્વે કરાશે તેવી જાહેરાત કરી હતી. ત્યારબાદ કોંગ્રેસ પણ મેદાને આવી છે અને ખેડૂતોને વળતર મળે તેવી સરકારને અપીલ કરી છે.
ખેડૂતોને લઇને મામલો ગરમાયો
CMએ માવઠાને લઇને જાહેરાત કરી તો કોંગ્રેસ 100 ટકા વળતરની કરી માગ
કૃષિ કાયદાને લઇને ધાનાણીએ કહ્યું આતો કોરોના કરતા પણ વધુ ખતરનાક
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ અને વળતર અંગે મુખ્યમંત્રીએ આપેલા નિવેદન બાદ વિધાનસભા નેતાવિપક્ષ પરેશ ધાનાણીએ જણાવ્યું છે કે માવઠાથી થયેલા નુકસાનની સરકારે ખેડૂતોને સો ટકા વળતર આપવું જોઈએ. મંદી, મોંઘવારી વચ્ચે માવઠાનો માર ખેડૂતોને પડ્યો છે.
ખેડૂતોને 100 ટકા વળતર મળે તેવી ધાનાણીએ કરી માગ
આ સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું કે, આ અગાઉ અતિવૃષ્ટિ થી ખેડૂતોને નુકસાન થયું હતું, ત્યારે સરકારે પાક નુકશાન નુ વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી. પરંતુ હજીસુધી પૂર્ણ સહાય મળી નથી ત્યારે કમોસમી માવઠાથી ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે. સરકાર માવઠાથી થયેલા નુકસાનનો જલ્દીથી સર્વે કરાવે અને ખેડૂતોને સો ટકા વળતર આપે. તો આ સિવાય વીજળી બિલ તેમજ ડીઝલના ભાવ પણ ઘટાડવામાં આવે કે જેનાથી ખેડૂત પગભર થઈ શકે.
કોરોના કરતા પણ વધુ ખતરનાક છે કૃષિ કાયદા
ખેડૂત આંદોલન પર CMના નિવેદન પર પરેશ ધાનાણીની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ખેડૂત અંગેનો કાયદો કોરોના કરતા પણ ખતરનાક છે અને આ કાયદા ખેડૂત વિરોધી જ નહીં દેશ વિરોધી છે. આ પ્રકારના કાયદા નફાખોરી અને મોંઘવારી વધશે
કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ આપ્યું નિવેદન
ઉલ્લેખનીય છે કે, CMએ માવઠા બાબતે કરેલી જાહેરાત બાદ કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, સરકાર માત્ર જાહેરાતો, નિવેદનો, આશ્વાસન આપી રહી છે અને સરકાર લેખિતમાં આપીને બદલાઇ જાય છે. તેમણે વધુમાં કહ્યું કે, 10 ઓગસ્ટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરી હતી હજુ ખેડૂતોને કાંઈ મળ્યું નથી.
તો આજે કોંગ્રેસે હંગર વોચ સર્વેના અહેવાલને લઇને પણ સરકાર પર કર્યા આકરા પ્રહાર
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું હતું કે, લોકડાઉન પછી અનેક શ્રમિક અને વંચિત પરિવારોને ખાવાના સાસા પડ્યા છે ગુજરાતમાં 21 ટકા લોકોને ભૂખ્યા સૂવું પડે છે. તો સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બરમાં લોકોની આવક ઘટી જતા પરિવારોએ ચોખા, ઘઉં અને કઠોળ ખાવાનું ઓછું કર્યું છે.
અદાણી એરોપોર્ટને લઇને કોંગ્રેસ કર્યા પ્રહાર
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું કે કોંગ્રેસ સરકાર જાહેર સવલતો ઉભી કરી તેના માલિક દેશની જનતાને બનાવતી હતી, નર્મદા યોજના, અમદાવાદ એરપોર્ટ અને કૃષિ યુનિવર્સિટીઓને સરદાર પટેલનું નામ આપી તેમને સન્માનિત કર્યા, જોકે ભારતીય જનતા પાર્ટીની સરકાર હવે સરદાર પટેલનું નામ ભુલાવવા માગે છે. જે સમયે અમદાવાદ એરપોર્ટનું નામ સરદાર પટેલ એરપોર્ટ આપવામાં આવ્યું હતું ત્યારે પણ ભાજપે વિરોધ કર્યો હતો અને હવે એરપોર્ટનું ખાનગીકરણ કરીને તેમની વર્ષો જૂની મનસા સરદાર વલ્લભભાઇ પટેલનું નામ બદલીને પૂર્ણ કરી છે અને અમદાવાદ એરપોર્ટને અદાણી એરપોર્ટ નામ આપ્યું છે. આ સાથે જ કોંગ્રેસે ચીમકી આપી છે કે માત્ર મત મેળવવા સરદાર પટેલનું નામ લેતી ભાજપ સરદાર પટેલના નામને એરપોર્ટ થી ભુલાવે નહીં, નહીંતર જલદ આંદોલન થશે.