ખેડૂત આંદોલનના 18મા દિવસે ખેડૂતોએ સરકારને ચેતવણી આપતાં કહ્યું છે કે જો તેઓ 19 ડિસેમ્બર સુધી નહીં માને તો ખેડૂતો ઉપવાસ શરૂ કરશે. આ સાથે આજે સવારે 11 વાગ્યાથી રાજસ્થાનના શાહજહાંપુરથી ટ્રેક્ટર માર્ચ કરશે અને જયપુર દિલ્હી સડકને પણ બ્લોક કરશે.
ખેડૂત આંદોલનનો 18મો દિવસ
ખેડૂતોની સરકારને ઉપવાસ પર ઉતરવાની ચેતવણી
આજે કરશે ટ્રેક્ટર માર્ચ અને સડક બ્લોક
દિલ્હીની સરહદ પર એકઠા થઈને પોતાની માંગ પર અડગ રહેલા ખેડૂતો કોઈ પણ રીતે માનવા તૈયાર નથી, શનિવારે તેઓએ સરકારને ઉપવાસ રાખવાની ચેતવણી આપી છે. એટલું જ નહીં તેઓએ સરકારને 19 ડિસેમ્બરનું અલ્ટીમેટમ આપ્યું છે. એક તરફ સરકાર સંગઠનથી કાયદામાં કરાયેલા સંશોધનને માનવાની અપીલ કરી રહી છે. પોલીસને પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને મોટા હાઈવે અને અન્ય સડક બ્લોક કરવાથી રોકવાનું કહેવાયું છે. ખેડૂતોને નિયંત્રિત કરવા માટે મોટી સંખ્યામાં પોલીસ બળ તૈનાત કરાયું છે.
कल 11 बजे शाहजहांपुर (राजस्थान) से जयपुर-दिल्ली वाला जो रोड है उसे रोकने के लिए हज़ारों की संख्या में किसान ट्रैक्टर मार्च करेंगे: सिंंघु बॉर्डर से संयुक्त किसान आंदोलन के नेता कमल प्रीत सिंह पन्नू pic.twitter.com/EfYmq5THMQ
નવા કૃષિ કાયદાથી નારાજ ખેડૂતોનું આંદોલન વઘુ ઉગ્ર બન્યું છે. સંયુક્ત ખેડૂત આંદોલનના નેતા કમલ પ્રીત સિંહ પન્નૂએ કહ્યું કે આજેસવારે 11 વાગ્યાથી રાજસ્થાનના શાહજહાંપુરથી ટ્રેક્ટર માર્ચ કરશે અને જયપુર દિલ્હી સડકને પણ બ્લોક કરશે. આ સાથે તેઓએ કહ્યું કે અમારા રાષ્ટ્રીય સ્તરના આહ્વાન બાદ હરિયાણાના દરેક ટોલ પ્લાઝા પર આજે શુલ્ક લેવાશે નહીં.
ખેડૂત નેતા ગુરનામ સિંહ ચરુણીએ કહ્યું...
પંજાબથી આવી રહેલા ખેડૂતોની ટ્રોલિયોને રોકવામાં આવી છે. અમે સરકારને અપીલ કરીએ છીએ કે ખેડૂતોને દિલ્હી આવવા દેવામાં આવે. તેઓએ ચેતવણી આપી છે કે જો સરકાર નહીં માને તો પ્રદર્શન વધુ ઉગ્ર બનશે. તેઓએ કહ્યું કે સરકાર 19 ડિસેમ્બર પહેલાં વાત નહીં માને તો અમે ગુરુ તેગ બહાદુરના શહીદી દિવસથી ઉપવાસ શરૂ કરીશું.
सबका विश्वास रहता है कि हमारे लीडर हमारा ध्यान रखेंगे पर शायद यहां ऐसे लीडर हैं ही नहीं। ऐसा डर का माहौल इन नक्सल लोगों ने बना दिया है कि जो किसान नेता असल मुद्दों की बात करना भी चाहते हैं तो किसी में हिम्मत ही नहीं बन पा रही है क्योंकि ये डरा देते हैं: केंद्रीय मंत्री पीयूष गोयल https://t.co/s3M6XDlUQy
પન્નૂએ કહ્યું કે અમે 14 ડિસેમ્બરથી ડીસી ઓફિસની બહાર પ્રર્દશન કરીશું. 14 ડિસેમ્બરે અમારા પ્રતિનિધિ સવારે 8થી સાંજના 5 સુધી ઉપવાસ કરશે. તેઓએ કહ્યું કે અમારી માંગ છે કે સરકાર નવા 3 કૃષિ કાયદાને પરત લે. અમે સરકાર સાથે વાત કરવા તૈયાર છીએ.
દિલ્હીથી આગ્રા અને જયપુર હાઈવેને બ્લોક કરવાથી રોકવા માટે મોટી સંખ્યામાં પોલીસ બળ તૈનાત છે. ખેડૂતોએ આગ્રા એક્સપ્રેસ વે પર કબ્જો કર્યો છે. કેટલાક ખેડૂતોએ ઓછામાં ઓછા 2 ટોલ પ્લાઝા પર કબ્જો કર્યો છે અને ગાડીઓને ટોલ ભર્યા વિના જવા દેવામાં આવી રહી છે.
#WATCH | एक किसान के कुछ नेताओं ने इस आंदोलन को हाइजैक कर लिया है। नक्सल-माओवादी ताक़तें जो वहां हावी हो गई हैं...ऐसे में किसानों को समझना पड़ेगा कि ये आंदोलन उनके हाथ से निकल कर इन माओवादी और नक्सल लोगों के हाथ में चला गया है: केंद्रीय मंत्री पीयूष गोयल pic.twitter.com/2kOXynXQgQ
કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે આ પ્રદર્શનોને માઓવાદીઓએ હાઈજેક કર્યા છે પણ પીએમ મોદીએ ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે બદલાવથી તેમની કમાણી વધશે. શનિવારે તેઓએ કહ્યું કે કૃષિમાં રોકાણને લાવવામાં મદદ કરશે અને ખેડૂતોને માટે ફાયદારૂપ રહેશે. તેઓએ કહ્યું કે સરકારની તરફથી કરાયેલા ફેરફારનો હેતુ ખેડૂતને સમૃદ્ધ બનાવવાનો છે. ખેડૂત સમૃદ્ધ હશે તો દેશ સમૃદ્ધ થશે.