દિલ્હી અને આસપાસની બોર્ડર પર ખેડૂતોના આંદોલનનો આજે 20મો દિવસ છે ત્યારે ખેડૂતો અને સરકાર હાલ તો પોતાના પક્ષ પર અડગ હોય તેવું દેખાઈ રહ્યું છે
ખેડૂતો અને સરકાર બંને પોતાની વાત પર અડગ
સરકાર વારંવાર વાતચીત માટે કરી રહી છે પ્રયાસ
ખેડૂતોએ કહ્યું કાયદા હટાવવા જ પડશે
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ પર સરકાર અને ખેડૂતો સામસામે આવી ગયા છે અને બંને તરફથી પોતાની વાત પર અડગતા દેખીએ રહી છે. સરકાર કાયદા પાછા લેવા તૈયાર નથી પણ સુધારા કરવા તૈયાર છે, જ્યારે ખેડૂતોને માત્ર સુધારા નહીં પણ કાયદા પાછા ન જાય ત્યાં સુધી આંદોલન કરવું છે.
ખેડૂતો અડગ
કેન્દ્ર સરકારના નવા કાયદાઓ સામે સૌથી પહેલા પંજાબમાં આંદોલન ચાલુ થયું હતું અને તે બાદ વિવિધ અનાલ્ગ અલગ સંગઠનના ખેડૂતો હવે તેમાં જોડાઈ ગયા છે, 20 દિવસથી ધરણા પર બેઠેલા ખેડૂતોની માંગ છે કે ત્રણેત્રણ કાયદાઓ રદ કરવા જ પડશે.
ખેડૂતો કહી રહ્યા છે કે ક્યારેય આવા કાયદાની માંગ કરવામ આવી જ નથી એટલે સરકાર તેની પાછા લઇ લે. નવા કાયદાથી ટેકાના ભાવ નહીં મળે અને એપીએમસી સમાપ્ત થઇ જશે તેવા ડરના કારણે ખેડૂતો સરકાર સામે બાંયો ચડાવી રહ્યા છે ત્યારે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે અને વહેલા માને તેવી પરિસ્થિતિમાં દેખાઈ રહ્યા નથી. ખેડૂતો આજે દિલ્હીમાં બેઠકો પણ કરવાના છે જેમાં આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.
સરકાર પણ કાયદામાં સુધારા કરવાની વાત પર મક્કમ
બીજી તરફ સરકારનો પક્ષ જોઈએ તો સરકારે કોરોનાકાળમાં આ બિલ પાસ કરાવી લીધા ત્યારે કદાચ સરકારને અંદાજો ન હતો કે આ કાયદાનો આટલો વિરોધ
જોવા મળશે. દિલ્હીમાં સતત વધતા ઉગ્ર આંદોલનને જોતા સરકાર અને ખેડૂતો વચ્ચે પણ બેઠક કરવામ આવી. સરકાર અને મંત્રીઓ સતત ખેડૂતોને સમજાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.
કૃષિ મંત્રી સહીતના નેતાઓ ખેડૂતોના મુદ્દે ઘણીવાર સ્પષ્ટતા કરી ચુક્યા છે અને મીડિયાનાં માધ્યમથી સરકાર વાતચીત માટે તૈયાર છે તેવી વાત કરવામાં આવી રહી છે ત્યારે હજુ પણ સરકાર આ કાયદા પાછા લેવાના મૂડમાં તો નથી. સરકાર કહી રહી છે કે ખેડૂતોને પ્રસ્તાવ તો આપી દેવામાં આવ્યો છે અને હવે તે જવાબ આપે તો સરકાર વાર્તા માટે તૈયાર છે. સરકાર આ કાયદાઓમાં ખેડૂતો કહે તેમ સુધારા વધારા કરવા તૈયાર છે પરંતુ કાયદાઓ પરત લેવા તૈયાર નથી.
હવે આગળ શું થશે
હાલમાં સરકાર અને ખેડૂત બંનેના વલણને જોતા મામલો લટકતો દેખાઈ રહ્યો છે કારણ કે બંને પક્ષો પીછેહટ કરવા તૈયાર નથી. એક મીડિયા અહેવાલમાં સૂત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સરકાર અમુક ખેડૂત અગ્રણીઓના સંપર્કમાં છે. આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઘણા અગ્રણીઓ માને છે કે વાતચીત સિવાય સમાધાન નહીં આવે અને સરકાર આવા અમુક ખેડૂત અગ્રણીઓના સંપર્કમાં છે.
સરકારના આ વલણને જોતા ખેડૂતો હવે અન્ય રાજ્યોના લોકોને સાથે લેવા પર કામ કરી રહ્યા છે. અને સત્તારૂઢ ભાજપ પણ આ મુદ્દે એક્શનમાં દેખાઈ રહી છે. ભાજપ દેશભરમાં પત્રકાર પરિષદ કરીને લોકોને સમજાવી રહી છે કે કાયદાઓ ખૂબ સારા છે.