ગઇકાલે ખેડૂતો દ્વારા સરકાર સાથે વાતચીત માટે હા પાડવામાં આવી છે પરંતુ આંદોલનને લઈને હજુ પણ તે નરમ વલણ અપનાવવા માટે તૈયાર નથી. ખેડૂતોએ 29મી ડીસેમ્બરે વાતચીતમાં સકારાત્મક જવાબ ન મળે તો તે બાદની તૈયારીઓ કરી લીધી છે.
સરકાર અને ખેડૂતો વચ્ચે ફરી થશે વાતચીત
ખેડૂતો આંદોલનને વધુ મજબૂત બનાવશે
30મી તારીખે સિંઘુ બોર્ડરથી ટીકરી અને શાહજહાંપૂર સુધી ટ્રેક્ટર માર્ચ
છેલ્લા 32 દિવસના ખેડૂતો પોતાની માંગોને લઈને ઘમાસાણ કરી રહ્યા છે ત્યારે સરકાર સાથે વાતચીત માટે તૈયાર થયેલા ખેડૂતો હજુ પણ આંદોલનને તેજ કરવાના મૂડમાંઆ દેખાઈ રહ્યા છે. 29મી તારીખે સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત નક્કી કરવામાં આવી છે.
સરકાર સામે ખેડૂતોએ ખેંચી દીધી રેખા
ખેડૂતોએ સરકાર સાથે વાતચીત માટે હા તો પાડી છે પણ સાથે સાથે એક રેખા પણ ખેંચી દીધી છે જેની આગળ ખેડૂતો નહીં જાય અને શરતોના આધારે જ વાતચીત કરવામાં આવશે. ખેડૂતો વાતચીત માટે તો તૈયાર છે પણ સરકાર પર દબાણ બનાવવા માટે કે સપ્તાહ સુધી વિરોધ પ્રદર્શનને લઈને આખો કાર્યક્રમ તૈયાર કરી દેવામાં આવ્યો છે.
જો વાતચીત સફળ ન થાય તો...
સરકાર સાથે વાતચીત જો નિષ્ફળ નીવડે તો ખેડૂતો આંદોલનને નવા ચરણમાં લઈ જશે. ખેડૂત અગ્રણી ડૉ. દર્શનપાલે જણાવ્યું કે દિલ્હીની બોર્ડર પર બેઠેલા ખેડૂતો આજે અને કાલે ગુરુ ગોવિંદ સિંહના દીકરાનો શહીદી દિવસ મનાવશે. 29મી ડીસેમ્બરે ખેડૂતો 11 વાગ્યે સરકાર સાથે વાતચીત કરવા માટે જશે અને તે દિવસ ખેડૂત આંદોલન માટે ખૂબ જ અગત્યનો દિવસ માનવામાં આવી રહ્યો છે.
સરકાર અને ખેડૂત અગ્રણીઓ દ્વારા આપવામાં આવી રહેલી પ્રતિક્રિયાઑ અનુસાર જો આ મંત્રણામાં વાતચીત સકારાત્મક રહે તો ખેડૂતો નરમ વલણ અપનાવી શકે છે. પણ 30મી તારીખે ખેડૂતો દ્વારા સિંઘુ બોર્ડરથી ટીકરી અને શાહજહાંપૂર સુધી ટ્રેક્ટર માર્ચ કરવામાં આવશે. ખેડૂતો કહી રહ્યા છે કે 31 અને પહેલી તારીખે તે લોકોને બોર્ડર પર બોલાવી રહ્યા છે, તેમનું માનવું છે કે લોકો ખેડૂતો સાથે નવા વર્ષની ઉજવણી કરે અને લંગર ખાય.
ખેડૂત અને સરકાર વચ્ચે ફરી મળશે બેઠક
ખેડુતોની માંગ છે કે સરકાર સાથેની બેઠકમાં ત્રણેય કૃષિ કાયદાને રદ કરવા અને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ને કાનૂની દરજ્જો આપવા ચર્ચા કરવામાં આવશે. આ સાથે, વાયુ ગુણવત્તા અને વીજળી સુધારણા બિલ વિશે પણ ચર્ચા થવી જોઈએ. સંયુક્ત કિસાન મોરચાએ આ સંદર્ભે સરકારને દરખાસ્ત મોકલી છે.
ખેડૂતોએ કહ્યું- અમે ખુલ્લા મને વાટાઘાટો માટે તૈયાર છીએ
ઉલ્લેખનીય છે કે, યુનાઇટેડ કિસાન મોરચાએ દરખાસ્તમાં જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોની સુવિધા સમયે અને ખેડૂતો દ્વારા પસંદ કરેલા મુદ્દાઓ પર વાતચીત કરવા તૈયાર છે, તેથી તેઓ તમામ સંસ્થાઓ સાથે વાત કર્યા પછી દરખાસ્ત કરી રહ્યા છે. કિસાન મોરચાએ જણાવ્યું હતું કે અમે ફરીથી પુનરાવર્તન કરવા માગીએ છીએ કે ખેડૂત સંગઠનો હંમેશા ખુલ્લા મન સાથે વાટાઘાટો કરવા તૈયાર છે અને રહેશે.