સચિન તેંડુલકરે ખેડૂત વિરોધ પ્રદર્શન પર કરેલા ટ્વિટ પછી તેની ઘણી ટીકા થઈ હતી, જો કે હવે તેના ચાહકો તેના સમર્થનમાં આવ્યા છે અને સચિનના ઘરની બહાર નારા લગાવ્યા હતા.
સચિન તેંડુલકરની ઘરની બહાર એકઠા થયા સમર્થકો
એકઠા થઈને સચિનના સમર્થનમાં કરી નારેબાજી
સચિને ખેડૂત આંદોલનના મુદ્દે સરકારનું કર્યું હતું સમર્થન
ભારતમાં ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર દ્વારા તાજેતરમાં ખેડૂતોના વિરોધ વિશે એક ટ્વીટ કરવામાં આવ્યું હતું, જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે હંગામો થયો હતો અને સચિનને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. હજુ પણ આ મામલો ઠંડો પાડવાનું નામ નથી લઈ રહ્યું અને સચિન હજી પણ વિરોધીઓના નિશાના પર છે.
શું હતું સચિનના ટ્વિટમાં ?
સચિન તેંડુલકર સહિત ઘણા ક્રિકેટ સ્ટાર્સ અને ફિલ્મ હસ્તીઓએ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોના આંદોલનને સમર્થન આપવાના ઇન્ટરનેશનલ સેલિબ્રિટી સ્ટેન્ડની સામે સરકારનું સમર્થન કર્યું હતું.
સચિન તેંડુલકરે લખ્યું હતું કે, 'ભારતના સાર્વભૌમત્વ સાથે ચેડા કરી શકાતા નથી. વિદેશી શક્તિઓ પ્રેક્ષકો હોઈ શકે છે, પણ તેનો સક્રિય ભાગ નહીં. ભારતીયો ભારતને જાણે છે અને તેઓ ભારત માટે નિર્ણય લેશે. એક દેશ તરીકે એક થવાની જરૂર છે, #IndiaTogether #IndiaAgainstPropaganda ".
હવે ચાહકો આવ્યા સચિનના સમર્થનમાં
આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર રિહાન્નાના ટ્વીટ પછી સચિન તેંડુલકરે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. એક તરફ, ઘણા ક્રિકેટ ચાહકોએ સચિન પર સરકારના સમર્થનમાં હોવાનો આરોપ લગાવ્યો હતો, તો કેટલાક સચિન સાથે સહમત પણ થયા હતા.
સોશિયલ મીડિયા પર, સચિન તેંડુલકરની આ રીતે ટીકા થઈ હતી, તેના ઘણા ચાહકો તેમના ઘરની સામે તેના નામના નારા લગાવી રહ્યા હતા, આ પ્રકારના ઘણા વીડિયો વાયરલ થયા છે, જેમાં ચાહકો, સચિન, સચિન, સચિનના નારા લગાવી રહ્યા છે, જો કે આ મામલે માત્ર સચિન જ નહીં, પણ ઘણા અન્ય ક્રિકેટરોએ પણ પોતાના વિચારો શેર કર્યા હતા. જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓ સામેલ છે.