છેલ્લા થોડા દિવસમાં ખેડૂત આંદોલનનું મુખ્ય કેન્દ્ર ગાજીપુર બોર્ડર બની ગઈ છે ત્યારે ખેડૂતોની સતત વધતી સંખ્યાને જોતાં પોલીસ દ્વારા કિલ્લેબંધી કરવામાં આવી છે.
ગાજીપુર બોર્ડર પર ખેડૂતો વધ્યા
પોલીસે 12 લેયરની બેરિકેડિંગ કરી
ટીકૈતે પીએમ મોદીને કરી આ અપીલ
ખેડૂતોએ ગાજીપુર ગજવ્યું
ગાજીપુર બોર્ડર પર ખેડૂતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને બે મહિનાથી પણ વધારે સમયથી ચાલી રહેલા આંદોલનમાં હવે નવા વળાંક જોવા મળી રહ્યા છે. પહેલા ખેડૂતોની સંખ્યામાં ઘટાડો આવ્યો હતો પરંતુ રાકેશ ટીકૈત આ આંદોલનમાં ગેમચેન્જર સાબિત થયા છે અને તેમના આહવાહન પર ઘણાબધા લોકો બોર્ડર પર પહોંચી રહ્યા છે ત્યારે હવે દિલ્હી-ગાજીપુર બોર્ડર પર દૂર દૂર સુધી ટ્રેક્ટર દેખાઈ રહ્યા છે.
કિલ્લામાં ફેરવાઇ ગાજીપુર બોર્ડર
ખેડૂતોની સતત વધતી સંખ્યાને જોતાં પોલીસે રાતોરાત 12 લેયરની બેરિકેડિંગ કરી દીધી છે. જેથી ખેડૂતો હવે દિલ્હી તરફ આગળ ન વધી શકે. આ બેરિકેડિંગ દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવી છે કારણ કે પોલીસને આશંકા છે કે બજેટ સત્ર દરમિયાન ખેડૂતો ફરીવાર દિલ્હી તરફ આગળ વધી શકે છે. પરિસ્થિતિને જોતાં 12 લેયરની બેરિકેડિંગ કરવામાં આવી છે.
મહાપંચયાતનું એલાન
બીજી તરફ ખેડૂતો સતત આંદોલનને ધાર આપવાના પ્રયત્ન કરી રહ્યા છે. ટ્રેક્ટર હિંસા બાદ હવે મહાપંચાયતનો દોર શરૂ થઈ ગયો છે. પહેલા મુજફફરનગરમાં મહાપંચયાત કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. હવે તે જ રણનીતિ અનુસાર હરિયાણામાં પણ મહાપંચયાત કરવાનું એલાન કરી દેવામાં આવ્યું છે.
પીએમ મોદીના નિવેદનનું સ્વાગત : ટીકૈત
બીજી તરફ ખેડૂત અગ્રણી નરેશ ટીકૈતે મોટું નિવેદન આપ્યું છે. ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા પર જે નિવેદન આપ્યું તેના પર ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ નરેશ ટીકૈતે કહ્યું કે પીએમ મોદીએ જે કહ્યું છે તેનું સ્વાગત કરીએ છે અને અમારી એક જ માંગ છે કે ત્રણેય કાયદાને પાછા લેવામાં આવે તથા MSP પર નવો કાયદો બને. નરેશ ટીકૈતે હરિયાણામાં ઇન્ટરનેટ પર પ્રતિબંધની ટીકા પણ કરી છે.