કેન્દ્રના નવા કૃષિ કાયદાના વિરોધમાં એક મહિનાથી પણ વધુ સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. દિવસે ને દિવસે આંદોલન ઉગ્ર બની રહ્યું છે. સોમવારે ખેડૂતોની માંગોને લઈને ભૂખ હડતાળ શરૂ થઈ છે. સવારે 11-1 વાગ્યા સુધી ગાઝીપુર પ્લાઈઓવરની ઉપર બનેલા મંચ પર હડતાળ પર બેઠા છે. સાંજે 5 વાગ્યા સુધી આ હડતાળ ચાલુ રહેશે.
દિલ્હીની ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો ઉતર્યા ભૂખ હડતાળ પર
ખેડૂતોની માંગોને લઈને ભૂખ હડતાળ
સાંજે 5 વાગ્યા સુધી આ હડતાળ ચાલુ રહેશે
ખેડૂતોએ કહ્યું કે આ આરપારની લડાઈ છે. સરકારે તેમની માંગ માનવાની રહેશે. ખેડૂતોએ કહ્યું કે તેમના સાથી આ આંદોલનમાં શહીદ થયા છે. ન્યાયની આ લડાઈમાં તેઓ આગળ પણ બલિદાન આપવા તૈયાર છે. જ્યાં સુધી તેમની માંગ નહીં પૂરી થાય ત્યાં સુધી તેઓ પીછેહઠ કરશે નહીં. હડતાળ પણ ચાલુ રહેશે.
ખેડૂત યૂનિયન પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું...
દેશના અલગ અલગ ભાગમાં જે લોકો આંદોલનમાં આવવા ઈચ્છે છે. સરકાર તેમને રોકી રહી છે. આમ કરીને કેન્દ્ર ખેડૂતોના હોંસલાને ઘટાડવાની કોશિશ કરી રહી છે પરંતુ અમે તેમની આ ઈચ્છા પૂરી કરીશું નહીં. રાકેશ ટિકૈતે કહ્યું કે જે ખેડૂતો કૃષિ બિલના સમર્થનમાં રેલી કાઢી રહ્યા છે તેઓને મળશે અને જાણકારી લેશે કે આ નવા કાયદાથી તેમને કઈ રીતે ફાયદો થઈ રહ્યો છે. ટિકૈતે એમ પણ કહ્યું કે આ કાયદામાં એવો કયો લાભ છે જે આંદોલન કરી રહેલા ખેડૂતોને દેખાતો નથી. તેઓએ કહ્યું કે સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી રહી છે પણ આ કાયદાથી ખેડૂતો નુકસાનમાં જશે.
ખેડૂત નેતા ડોક્ટર સતનામ સિંહે કહ્યું કે ખેડૂત સંગઠન દર વખતે એક નવી આશા સાથે કેન્દ્ર સરકારની સાથે વાત કરવા જાય છે પણ કોઈ સમાધાન આવતું નથી. આ વખતે સરકારે ફરીથી વાત કરવા બોલાવ્યા છે તો આશા છે કે કંઈક સમાધાન આવશે. જો આવું નહીં થાય તો આંદોલન ચાલુ જ રહેશે.