કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે શુક્રવારે ફરી એકવાર વાતચીત થઇ. સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી કમિટી બાદ સરકાર-ખેડૂત વચ્ચે થયેલી આ પહેલી બેઠક છે, પરંતુ આ વખતે પણ કંઇક અલગ ન દેખાયું. ખેડૂત સંગઠનો તરફથી હજુ પણ કૃષિ કાયદા પરત લેવાની માંગ કરવામાં આવી રહી છે, જ્યારે સરકાર સંશોધનોનો હવાલો આપી રહ્યું છે. તેવામાં આ વિવાદને કઇ રીત પૂર્ણ થાય છે, તેના પર સૌની નજર છે...
ખેડૂતો અને સરકાર વચ્ચે કૃષિ કાયદાને લઇને બેઠક
નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે, અમે ત્રણેય કાયદાઓને પરત નહીં લઇ
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોને બેઠકમાં કહ્યું કે, ખેડૂત મીડિયામાં કહે છે કે સરકાર જીદ પર અડી છે, પરંતુ અમે ખેડૂતોની વાત માની છે. ખેડૂતો એક ડગલું પણ આગળ નથી વધ્યા. બીજી તરફ બેઠકમાં પીયૂષ ગોયલે ખેડૂતોને FCIથી જોડાયેલી માહિતી આપી હતી. જોકે, ખેડૂતો સતત બેઠકમાં કાયદાઓને રદ્દ કરવાના મુદ્દા પર અડગ છે.
ખેડૂતો તરફથી સરકારની સામે પંજાબમાં થઇ રહ્યા છે દરોડા, હરિયાણામાં ખેડૂતો માટે લેવામાં આવેલા એક્શનના મુદ્દાને ઉઠાવવામાં આવ્યો અને તમામ કેસ પરત લેવાની માંગ કરવામાં આવી. હજુ બેઠકમાં લંચ થઇ ગયું છે, આ વખતે પણ ખેડૂતોનું લંચ બહારથી જ આવ્યું છે.
સરકાર અને ખેડૂતો વચ્ચે ત્રણેય કાયદાઓને લઇને સંઘર્ષ હજુ યથાવત્ છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે, અમે ત્રણેય કાયદાઓને પરત નહીં લઇએ, પરંતુ અમે સંશોધન કરવા માટે તૈયાર છીએ. જ્યારે બેઠકમાં ખેડૂતોએ કડક વલણ અપનાવ્યું અને કહ્યું કે ત્રણેય કાયદાને પરત લેવા પડશે તેનાથી ઓછામાં અમે નહીં માનીએ.
બેઠકમાં કૃષિ મંત્રી તરફથી ખેડૂતોને ગણાવવામાં આવ્યું કે દેશમાં મોટા સ્તરે ખેડૂત કાયદાનું સમર્થન કરી રહ્યા છે, જ્યારે ખેડૂતોએ કહ્યું કે, તેમ છતા પણ દેશભરમાં પ્રદર્શન થઇ રહ્યું છે. કૃષિ મંત્રી સિવાય પીયૂષ ગોયલે પણ બેઠકમાં કૃષિ કાયદાઓથી જોડાયેલા ફાયદાઓ ગણાવ્યા.
જોકે, હવે ખેડૂતો તરફથી પંજાબમાં દરોડા, હરિયાણામાં ખેડૂતો પર લેવામાં આવેલા એક્શનનો મુદ્દે ઉઠાવવામાં આવ્યો. ખેડૂતોની માંગ છે કે તમામ કેસ પરત લેવામાં આવે. હજુ બેઠકમાં લંચ બાદ MSP પર ચર્ચા થવાની છે.
વાતચીતથી ઉકેલ લાવીશુંઃ ખેડૂત નેતા રાકેશ ટિકૈત
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, ખેડૂત સંગઠનોએ સરકારને કહ્યું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી કમિટી સ્વીકાર્ય નથી. ખેડૂત સંગઠન અને સરકારે નક્કી કર્યું છે કે વાતચીત ચાલુ રહેશે અને વાતચીતથી જ ઉકેલ લાવીશું. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે, લંચ બાદ MSP અને ત્રણ કૃષિ કાયદા પર ચર્ચા કરીશું.