ખેડૂતો દિલ્હીની બોર્ડર છોડી ચૂક્યા છે. પણ પોલીસે રોડ પર એવું કામ કર્યું હતુ કે જેના કારણે જાન્યુઆરી પહેલા બન્ને રોડ સંપૂર્ણ રીતે ખુલી નહી શકાય.
દિલ્હીને અડીને આવેલ બોર્ડરને ટ્રાફિક માટે સંપૂર્ણ ખોલવામાં સમય લાગી શકે
રોડ નિરિક્ષણનું કાર્ય 15 ડિસેમ્બર બાદ શરુ થશે
નિરિક્ષણ બાદ રિપેરિંગનું કામ શરુ થશે
દિલ્હીને અડીને આવેલ બોર્ડરને ટ્રાફિક માટે સંપૂર્ણ ખોલવામાં સમય લાગી શકે
ભલે ખેડૂતોનું આંદોલન ખતમ થઈ ચૂક્યું હોય, પરંતુ દિલ્હીને અડીને આવેલ બોર્ડરને ટ્રાફિક માટે સંપૂર્ણ ખોલવામાં સમય લાગી શકે છે. નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે એનએચએઆઈએ કહ્યું કે દિલ્હી અને ગાઝિયાબાદને જોડતી ગાજી બોર્ડર અને નેશનલ હાઈવે 44 પર સિંઘુ બોર્ડર ખેડૂતો માટે આંદોલનના કારણથી ગત લગભગ એક વર્ષથી બંધ હતી. હવે ખેડૂતો અહીંથી લગભગ નીકળી ચૂક્યા છે. આને છેલ્લું ગ્રુપ અનં તંબુ પણ એકાદ દિવસમાં હટી જશે. પરંતુ આ બન્ને બોર્ડર જાન્યુઆરીથી સંપૂર્ણ રીતે ખુલી શકશે. આનું કારણ એ છે કે ખેડૂતોને રોકવા માટે પોલીસે કેટલાક પાક્કા બેરિકોડ લગાવ્યા હતા. તેને હટાવવા અને પછી સંપૂર્ણ નિરિક્ષણ બાદ બોર્ડર ખોલવામાં આવશે.
રોડ નિરિક્ષણનું કાર્ય 15 ડિસેમ્બર બાદ શરુ થશે
એનએચઆઇના અધિકારીઓએ કહ્યું કે એનએચ 24, 9 અને 44 બન્ને તરફના ભાગમાં નિરિક્ષણનું કાર્ય 15 ડિસેમ્બર બાદ શરુ થશે. હકિકતમાં ખેડૂતોએ કહ્યું કે 15 ડિસેમ્બરે બન્ને તરફના ભાગોને સંપૂર્ણં રીતે ખોલી દેવામાં આવશે. અધિકારીઓના જણાવ્યાનુંસાર બન્ને તરફના ભાગોમાં સંપૂર્ણ રીતે સાફ કરવામાં 2 અઠવાડિયાનો સમય લાગશે.
નિરિક્ષણ બાદ રિપેરિંગનું કામ શરુ થશે
નામ ન આપવાની શરતે એનએચઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું ખેડૂત જ્યારે બન્ને તરફના ભાગોથી સંપૂર્ણ રીતે હટી જશે. ત્યારે તેનું નિરિક્ષણનું કામ શરુ થશે. અમારી ટીમ એનએચના ક્ષતિગ્રસ્ત ભાગોનું નિરિક્ષણ કરશે. તે બાદ રિપેરિંગનું કામ શરુ થશે. નવા વર્ષથી લોકો આના પર સફર કરી શકશે. ઉલ્લેખનીય છે કે ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધ લગભગ 1 વર્ષ પ્રદર્શન કર્યા બાદ ખેડૂતોનું આંદોલન હાલ ખતમ કરી દેવામાં આવ્યું છે. હજારો ખેડૂતો દિલ્હીની બોર્ડર પર જમાં થયા હતા. તે હવે પાછા ફરી રહ્યા છે. 29 નવેમ્બરે કેન્દ્રએ સંસદમાં 3 કૃષિ કાયદાની વિરુદ્ધનો પ્રસ્તાવ પસાર કરી તેને રદ્દ કરી દીધો છે.