દિલ્હીની બોર્ડર પર આંદોલન કરવા બેસેલા ખેડૂતોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અપીલને ફગાવી દીધી છે.સિંધુ બોર્ડર પર અડગ અન્નદાતાઓએ કહ્યું કે અમે બુરાડી તો નહીં જઈએ.
નવા કૃષિ કાયદાઓ પર ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું
દિલ્હી બોર્ડર બેઠેલા ખેડૂતો મક્કમ, કહ્યું બુરાડી નહીં જઈએ
ખેડૂતોએ અમિત શાહનો પ્રસ્તાવ ફગાવ્યો
બોર્ડર પર જ રહેશે ખેડૂતો
નોંધનીય છે કે આ આંદોલનમાં વિવિધ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને મોટા ભાગના ખેડૂતોની દિલ્હીની બોર્ડર ધરણા કરી રહ્યા છે. ગઈકાલે જ અમિત શાહે તેમને પ્રસ્તાવ આપ્યો હતો અને તે બાદ ગૃહસચિવે ખેડૂતોને એક પત્ર મોકલાવ્યો હતો. હવે ખેડૂતો કહી રહ્યા છે કે આ પત્રમાં એક શરત મૂકવામાં આવી છે કે ખેડૂતોએ બુરાડી આવવાનું રહેશે જે તેમને નાંમંજૂર છે.
સરકારની શરત નામંજૂર
ખેડૂતોના એક આગેવાને કહ્યું કે આ શરત અમને મંજૂર નથી અને અમારો ઉદ્દેશ્ય રસ્તો રોકીને જનતાને હેરાન કરવાનો છે જ નહીં અમે છેલ્લા બે મહિનાથી આંદોલન ચલાવી રહ્યા છે અને સરકાર આવી શરતો લગાવશે તો અમે કઈ રીતે જઈશું ?
બુરાડી તો ઓપન જેલ
અમિત શાહના પ્રસ્તાવ બાદ પણ ખેડૂતો પાછળ હટવા તૈયાર નથી. વિવિધ સંગઠનોએ બપોરે બેઠક કરી અને તે બાદ મીડિયાને જાણકારી આપી કે સરકારે આંદોલનનું અનાદર કર્યું છે, અમે લોકોએ સરકારના પ્રસ્તાવને ફગાવ્યું છે, બુરાડી મેદાન નથી એ તો ઓપન જેલ છે.
ખેડૂતોએ કહ્યું કોઈ પણ રાજકીય પાર્ટીઓ અમારા મંચ પર આવે નહીં:
We've decided that we won't allow any political party leader to speak on our stage, be it Congress, BJP, AAP or other parties. Our Committee will allow other organisations, who are supporting us, to speak if they follow our rules: Surjeet S Phul, President, BKU Krantikari (Punjab https://t.co/lzrhJ9PtATpic.twitter.com/LX0lfilCNF
નોંધનીય છે કે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા ઉગ્ર આંદોલનને જોતા અમિત શાહે અપીલ કરી હતી કે તે બુરાડીના મેદાનમાં આવીને એકત્ર થઇને શાંતિપૂર્ણ આંદોલન કરે તો સરકાર વાતચીત કરવા માટે તૈયાર છે અને સરકાર ખેડૂતો સાથે દરેક મુદ્દા પર ચર્ચા કરશે.