કેન્દ્ર સરકારના નવા ખેતી વિષયક કાયદાઓ સામે પંજાબ અને હરિયાણાના ખેડૂતો મોટી સંખ્યામાં દેશના પાટનગરમાં કૂચ કરી રહ્યા છે અને દિલ્હીની સરહદ પર બેસીને આંદોલન કરી રહ્યા છે.
દિલ્હીની સરહદો પર આંદોલન પર બેઠા છે વિવિધ ખેડૂતો
અમિત શાહે ખેડૂતોને નિશ્ચિત સ્થાન પર આવી જવા કહ્યું
અમિત શાહે શરત મૂકી એ સારું નથી : ખેડૂત આગેવાન
ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા પ્રદર્શનને ઉગ્ર બનતા જોઈને દેશના ગૃહમંત્રીએ તેમને વાતચીત માટે અપીલ કરી હતી, અમિત શાહે ખેડૂતોને દિલ્હી આઈ જવા કહ્યું અને ખેડૂતોની માંગ પર ચર્ચા કરવા પણ સ્વીકાર્યું જોકે ખેડૂતો હજુ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે.
Amit Shah ji has called for early meeting on a condition, it's not good. He should've offered talks with open heart without condition. We'll hold meeting tomorrow morning to decide our response: Jagjit Singh, Bharatiya Kisan Union's Punjab Pres, at Singhu border (Delhi-Haryana) https://t.co/HEjmQRkjuGpic.twitter.com/QHw3ukFnlE
ખેડૂતોને બુરાડીમાં પ્રદર્શન કરવા માટે મંજૂરી આપવામાં આવી છે પરંતુ તે સિંધુ બોર્ડર પર બેઠા છે ત્યારે બીજી તરફ ગાઝિયાબાદમાં પણ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો કહી રહ્યા છે કે તે બુરાડી નહીં જાય.
ભારતીય કિસન યુનિયનના પંજાબ અધ્યક્ષે કહ્યું કે અમિત શાહજી એ શરત મૂકીને જલ્દી મળવાનું આહ્વાહન કર્યું છે, જે સારું નથી. તેમણે શરત વગર ખુલા દિલથી વાતચીતની રજૂઆત કરવી જોઈએ. અમારે અમારી પ્રતિક્રિયા નક્કી કરવા માટે આવતીકાલે બેઠક બોલાવવામાં આવી છે.
કેપ્ટન અમરિંદરે કરી અપીલ
નોંધનીય છે કે અમિત શાહે જે પસ્તાવ મૂક્યો તેના પર પંજાબના મુખ્યમંત્રીએ પણ ખેડૂતોથી આગ્રહ કર્યો કે તે ગૃહમંત્રીનો પ્રસ્તાવ સ્વીકાર કરીને કોઈ સ્થાન પર શિફ્ટ થાય. આમ કરવાથી વાતચિતનો માર્ગ ખુલશે.
ગૃહપ્રધાન અમિત શાહે પંજાબ-હરિયાણાના ખેડૂતોને રસ્તાને બદલે દિલ્હીમાં મેદાનમાં શિફ્ટ થઈને શાંતિપૂર્વક ધરણા પ્રદર્શન કરવા માટે અપીલ કરી છે.ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ભારત સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા તૈયાર છે. તેમણે આંદોલન કરી રહેલા ખેડૂતોને કહ્યું હતું કે કૃષિ મંત્રીએ ખેડૂતોને બેઠક કરીને ચર્ચા કરવા માટે 3 ડિસેમ્બરે આમંત્રિત કર્યા છે.અમિત શાહે ઉમેર્યું હતું કે સરકાર ખેડૂતોની તમામ સમસ્યાઓ દૂર કરવા અને તેમની બધી માંગમાં તેમને મદદરૂપ થવા માંગે છે.
દિલ્હી પોલીસ ખેડૂતોને રક્ષણ આપશે
#WATCH | If farmers' unions want to hold discussions before December 3 then, I want to assure you all that as soon as you shift your protest to structured place, the government will hold talks to address your concerns the very next day: Union Home Minister Amit Shah pic.twitter.com/ZTKXtHZH3W
આ સાથે તેમણે ઉમેર્યું હતું કે ઘણી જગ્યાઓએ ખેડૂતો હાઈવે ઉપર ઠંડીમાં પોતાના ટ્રેક્ટર અને ટ્રેઇલરમાં જ રોકાઈ ગયા છે. આ ઠંડીમાં હું તેમને અપીલ કરું છું કે તેઓ દિલ્હી પોલીસ સાથે આવીને મોટા ગ્રાઉન્ડમાં શિફ્ટ થઇ જાય. ત્યાં તેમને ધરણા યોજવાની પોલીસ પરમિશન પણ મળી જશે. આ મેદાનમાં ટોઇલેટ, એમ્બ્યુલન્સ અને પોલીસ સુરક્ષા જેવી વ્યવસ્થા કરી દેવાઈ છે.
આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે જો ખેડૂત સંગઠન 3 ડિસેમ્બર પહેલા બેઠક કરવા માંગે છે તો હું તમને ખાતરી આપું છું કે તમે સૌથી પહેલા ધરણા માટે નક્કી કરાયેલા મેદાને પહોંચી જાઓ. સરકાર તમે પહોંચશો તેના બીજા દિવસે ચર્ચા ગોઠવવા માટે તૈયાર છે.