નવા કૃષિ કાયદાને લઈને લાંબા સમય બાદ સરકારની તરફથી નિવેદન આવ્યું છે. જેમાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું છે કે કૃષિ કાયદાને પરત લેવાની વાતને નકારી દેવામાં આવી છે પરંતુ સરકાર આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે ફરીથી વાતચીત કરવા માટે તૈયાર છે.
भारत सरकार नए कृषि कानूनों से संबंधित प्रावधानों पर किसी भी किसान संगठन से और कभी भी बात करने को तैयार है...
हम उनका स्वागत करते हैं... pic.twitter.com/gv1FF9zU8i
કૃષિમંત્રીનો વીડિયો
કૃષિ મંત્રી તોમરે શુક્રવારે ટ્વિટર પર એક વીડિયો મૂક્યો છે જેમાં કહેવાયું છે કે સરકાર કૃષિ કાયદાને પરત લેવા સિવાય ખેડૂતો સાથે અડધી રાતે વાત કરવા માટે તૈયાર છે. જો કોઈ ખેડૂત સંગઠન કાયદાના પ્રાવધાન પર વાતચીત કરવા ઈચ્છે છે તો અમે તેમનું સ્વાગત કરીએ છીએ.
26 જાન્યુઆરીથી બંધ છે વાતચીત
દેશમાં 3 નવા કૃષિ કાયદાને લઈને દિલ્હીની સીમાઓ પર ખેડૂતો લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. આ સાથે આ મુદ્દે ખેડૂતો અને સરકાર વચ્ચે 11 વાર વાતચીત થઈ છે જે નિરર્થક રહી છે. છેલ્લી વાર વાત 22 જાન્યુઆરીએ થઈ અને 26મીએ લાલ કિલ્લા પર થયેલી હિંસા બાદ વાતચીત બંધ છે.
સુપ્રીમ કોર્ટે લગાવી રોક
ખેડૂતોની સાથે સરકારની વાતચીત નિરર્થક રહ્યા બાદ સુપ્રીમ કોર્ટે નવા કૃષિ કાયદાને લાગૂ કરવા માટે રોક લગાવી હતી. આ પછી એક કમિટીને બનાવવાનો આદેશ આપ્યો હતો જે સમાધાન લાવી શકે.
આ પહેલા પણ કૃષિ મંત્રી તોમર, ખાદ્ય મંત્રી પીયૂષ ગોયલ સહિત 3 કેન્દ્રીય મંત્રીઓએ ખેડૂતો સાથે 11 વાર વાત કરી છે. પરંતુ ખેડૂતો કાયદો પરત લેવાની માંગ પર કાયમ રહ્યા હોવાથી કોઈ નિર્ણય આવ્યો નથી.