સુરેન્દ્રનગરમાં સિંચાઇ માટે કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતો સહિત ધારાસભ્યનો વિરોધ
સુરેન્દ્રનગરમાં ખેડૂતો દ્વારા ચક્કાજામ કરી વિરોધ
વીરમગામ-માળીયા હાઈવે રોડ પર ચક્કાજામ કરી કર્યો વિરોધ
દસાડાના MLA એ ખેડૂતો સાથે મળી કર્યો વિરોધ
સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની કેનાલમાં પાણી આપવાનું બંધ કરી દેતા ખેડૂતો વિરોધે ચઢ્યા છે. વિરમગામ માળિયા હાઇવે રોડ પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો. દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ખેડૂતો સાથે મળીને વિરોધ નોંધાવ્યો. આ દ્રશ્યોમાં જોઇ શકાય છે કેઆકરા તાપમાં પણ હાઇવે વચ્ચોવચ ખેડૂતોએ સૂત્રોચ્ચાર બોલાવ્યા. વિરોધને પગલે હાઇવે પર વાહનચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો.વાહનોની પણ હાઇવે ઉપર લાંબી લાઈનો લાગી જવા પામી હતી. જો કે ઘટનાને પગલે પોલીસે નૌશાદ સોલંકીની અટકાયત કરી.
સિંચાઇનું પાણી કેનાલમા છોડવા મામલે વિરોધ
મહત્વનું છે કે ખેડૂતોના ઉનાળુ પાકો ને તો પહેલાથી નુકસાન થવા પામ્યું છે પરંતુ હવે સમયસર પાણી છોડવામાં ન આવતા ચોમાસા નું વાવેતર પણ બગડવાની ભીતિ ખેડૂતો મા સર્જાઈ જવા પામી છે. દસાડા વિસ્તારની કેનાલમાં સિંચાઇ માટેનું પાણી પૂરું પાડવામાં ન આવ્યું હોવાના કારણે ખેડૂતો વાવેતર કરવા માં નિષ્ફળ નીવડયા છે.ત્યારે આ મામલે ધારાસભ્ય નવસાદ ભાઈ સોલંકી અને ખેડૂતો દ્વારા સરકાર અને સરદાર સરોવર યોજના અંતર્ગત આવતા વિભાગોને રજૂઆત કરવામાં આવી હતી..
આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી
આજે 30 મે થઇ તેમ છતાં કેનાલમાં પાણી ન છોડવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આ મામલે સરકારે કોઇ વિચારણા ન કરતા ખેડૂતો અને ધારાસભ્યોમાં રોષ વ્યાપી ઉઠ્યો હતો. આગામી દિવસોમાં જો પાણી છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ખેડૂતો અને ધારાસભ્ય દ્વારા આપવામાં આવી હતી.