નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતનું આંદોલન હવે વધુ ઉગ્ર બનવા જઈ રહ્યું છે જેમાં હવે માત્ર દિલ્હીની આસપાસન નહીં પણ દેશભરમાં આંદોલન કરવામાં આવશે.
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો હવે આકરા મૂડમાં
દિલ્હી સિવાય દેશના અન્ય શહેરોમાં આંદોલન કરાશે
પહેલી જાન્યુઆરીએ દેશભરમાં આંદોલનનો પ્લાન
દરેક વ્યક્તિ ખેડૂતોના પક્ષમાં ઊભો થાય : ખેડૂત સંગઠન
નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનો હવે આંદોલનને વધુ તેજ બનાવવા જઈ રહ્યા છે. ખેડૂતોએ સરકાર સાથે વાતચીત માટે તૈયારી દર્શાવી છે પણ નવા વર્ષમાં દેશભરમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂત સંગઠનોએ કહ્યું પહેલી જાન્યુઆરીએ દેશભરમાં પ્રદર્શન કરવામાં આવશે, ખેડૂતોએ કહ્યું કે અમારી ઈચ્છા છે કે દરેક વ્યક્તિ ખેડૂતોના પક્ષમાં ઊભો થાય.
શું છે કાર્યક્રમ
આ સાથે જ ખેડૂતોએ એલાન કર્યું કે દેશના કેટલાય શહેરમાં હવે રેલી કરવામાં આવશે. આવતીકાલે પટના અને થનજાવૂરમાં ખેડૂતો રેલી કરશે અને 30મી તારીખે મણિપુર અને હૈદરાબાદ હલ્લાબૉલ કરવામાં આવશે. નોંધનીય છે કે ખેડૂતોએ 25 અને 27 ડિસેમ્બરના રોજ ટોલ પ્લાઝા ફ્રી કરાવવાનો પ્લાન બનાવ્યો હતો જે હવે અનિશ્ચિત કાળ સુધી ફ્રી કરાવવામાં આવશે. 30 ડિસેમ્બરના રોજ કુંડલી-માનેસર-પલવલ હાઇવે પર પણ ટ્રેક્ટર રેલી કાઢવાનું આયોજન બનાવવામાં આવ્યું છે.
સરકાર સાથે વાતચીત થશે કે નહીં ?
નોંધનીય છે કે સરકાર દ્વારા આપવામાં આવેલ આમંત્રણ બાદ 29મી તારીખે સાતમી વાર ખેડૂતો અને સરકાર વચ્ચે વાતચીત નક્કી કરવામાં આવી છે અને ખેડૂતોએ કહી રહ્યા છે કે એક જ શરતે વાતચીત થઈ શકશે કે કૃષિ કાયદા રદ્દ કરવામાં આવે.
યુપી સરકારે અધિકારીઓને ઉતાર્યા
ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો માંગોનો સ્વીકાર કરવામાં આવશે નહીં તો આંદોલન વધુ ઉગ્ર બની જશે અને સિંઘુ બોર્ડર બનાવી દેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના કેટલાય જિલ્લાઑથી ખેડૂતો રવાના થઈ રહયા છે અને આ ખેડૂતો પણ હવે આંદોલનમાં જોડાશે. યોગી સરકારે પણ આ પરિસ્થિતિને જોતાં મોટા મોટા અધિકારીઓની ફોજને ઉતારી દીધી છે અને આ અધિકારીઓ ખેડૂતોને સમજાવીને તેમને દિલ્હી જતાં રોકવા સમજણ આપશે.
બીજી તરફ આજે જ રાજસ્થાનમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતો સાથે સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ પાર્ટીના નેતાઓને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે અપીલ કરી છે.