જૂનાગઢ જિલ્લાના 135 ગામોમાં અતિવૃષ્ટિને લઇ રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય જાહેર કરવામાં આવી છે. જો કે જૂનાગઢ જિલ્લાના 9 તાલુકાઓમાંથી માત્ર 5 તાલુકાને જ આર્થિક સહાયના લાભ મળાની જાહેરાત થઇ છે. કેશોદ તાલુકાના 13 ગામો, માણાવદર તાલુકાના 19 ગામો માંગરોળ તાલુકાના 15 ગામો વંથલી તાલુકાના 13 ગામો અને વિશાવદર તાલુકાના 68 ગામો માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ભેંસાણ, મળીયા, જૂનાગઢ અને મેંદરડા તાલુકાઓમાં કોઇપણ પ્રકારની સહાય આપવામાં આવી નથી. સહાય જાહેર ન કરવામાં આવતા જૂનાગઢ તાલુકાના ગલિયાવાળ ગામના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોએ વહેલી તકે સરવેની કામગીરી પૂર્ણ કરી સહાય જાહેર કરવાની માંગ કરી હતી.
સર્વેની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરી સહાય જાહેર કરવા માંગ
વીઘા દીઠ 8 થી 10 હજારનો ખર્ચ થાય છે
રાજકોટ જિલ્લા ના ખેડૂતો માં નારાજગી
સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કર્યું છે પરંતુ આ પઁકેજ ને લઈ ને રાજકોટ જિલ્લા ના ખેડૂતો માં નારાજગી જોવા મળી છે જેમાં ખાસ કરી ને જેતપુર તાલુકાને આ સહાય થી વંચિત રાખવા માં આવ્યા હતા અને જેતપુર તાલુકા માં ખેત ના પાક ધોવાણ અને નુકસાન બાબતે કોઈ સર્વે કરવા માં નહોતો આવ્યો, ખેત પાક ધોવાણ નું કોઈ વળતર નહિ ચુકવતા ખેડૂતો માં રોષે વ્યાપી ગયો હતો અને ખેડૂતો એ એક અરજી કરી ને ગ્રામ્ય પંચાયત કચેરી માં કરી હતી જેમાં તેવો ને થયેલ પાક નુકસાન ના ફોટો અને જમીન ની વિગતો આપી હતી, ત્યારે જેતપુર તાલુકાના પીઠડીયા ગામ ના ખેડૂતો એ આજે અહીં ગ્રામ પંચાયત કચેરી એ અરજી જમા કરવા ઘસી આવ્યા ત્યારે ખેડૂતો એ સુત્રોચાર એન દેખાવો કર્યા હતા અને તેવો ને થયેલ પાક ધોવાણ ના નુકસાન નો સર્વે કરી ને સહાય ચૂકવા માંગ કરી હતી,
હેક્ટર દિઠ કેટલી મળશે સહાય?
આવા અસરગ્રસ્ત ગામોના જે ખેડૂતોના પાકને ૩૩(તેત્રીસ) ટકા કે તેથી વધુ નુકશાની હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ ૨(બે) હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ. ૧૩,૦૦૦ સહાય ચૂકવાશે. આ સહાયમાં એસડીઆરએફ (SDRF)ના ધોરણો મુજબ એસડીઆરએફની જોગવાઈમાંથી બિનપિયત પાક તરીકે વધુમા વધુ ૨(બે) હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ રૂ. ૬,૮૦૦ અપાશે. બાકીની તફાવતની હેક્ટર દીઠ રૂ. ૬,૨૦૦ મહત્તમ ૨(બે) હેક્ટરની મર્યાદામાં રાજ્યના બજેટમાંથી અપાશે. જો જમીનધારકતા આધારે એસડીઆરએફ(SDRF)ના ધોરણો મુજબ રૂ. ૫(પાંચ) હજાર કરતા ઓછી રકમ સહાય ચૂકવવાપાત્ર હોય તો પણ ખાતાદીઠ રુ. ૫(પાંચ) હજાર ઓછામાં ઓછા ચૂકવાશે અને તેમાં પણ તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવાની રહેશે.
રાહત મેળવવા માટે આ તારીખોમાં કરો અરજી
આ રાહત સહાય પેકેજનો લાભ મેળવવા માટે તારીખ ૨૫(પચ્ચીસ)ઓક્ટોબરથી ૨૦(વીસ) નવેમ્બર સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આવી અરજી કરવાની કોઈ ફી ચૂકવવાની રહેશે નહી.