ગુજરાતમાં અતિવૃષ્ટીના કારણે નુકસાન પામેલા 4 જિલ્લાના ખેડૂતોને સરકાર દ્વારા આર્થિક 33 હજાર 820 ખેડૂતોને 69.77 કરોડ 44 હજારની સહાય ચુકવવામાં આવી
રાજ્યના 4 જિલ્લામાં અતિવૃષ્ટિથી નુક્સાનનો મામલો
કુલ 69 કરોડ 77 લાખ 44 હજારની સહાય ચૂકવાઈ
33 હજાર 820 ખેડૂતોને અતિવૃષ્ટિની સહાય ચૂકવાઈ
ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં અતિવૃષ્ટિના કારણે પાકને ભારે નુકશાન થયું હતું જેને લઈ રાજ્ય સરકારે કૃષિ સહાયની જાહેરાત કરી હતી. જે અંતર્ગત રાજ્યના 4 જિલ્લાઓના 33 હજાર 820 ખેડૂતોને 69.77 કરોડ 44 હજારની સહાય ચુકવવામાં આવી છે.
33 હજાર 820 ખેડૂતોને અતિવૃષ્ટિની સહાય ચૂકવાઈ
રાજ્યમાં ભારે વરસાદને કારણે અતિવૃષ્તિ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી જે જિલ્લાઓમાં અતિવૃષ્ટિથી પાકને નુકસાન થયું હતું જેવા જિલ્લાઓને સરકાર દ્વારા સહાય ચુકવવાનું જાહેર કરવામાં આવ્યું હતું જેને લઈને સરકારે જામનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ માટે સહાયની જાહેરાત કરી હતી.અહેવાલ મુજબ જામનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટના 33 હજાર 82 ખેડૂતોને સહાય ચુકવવામાં આવી છે. રાજ્ય સરકારે કુલ 69 કરોડ 77 લાખ 44 હજારની સહાય ખેડૂતોને ચુકવી છે.
કુલ 69 કરોડ 77 લાખ 44 હજારની સહાય ચૂકવાઈ
મહત્વનું છે કે અત્યાર સુધી સહાય માટે કુલ 1.88 લાખ અરજીઓ મળી હતી રાજ્યમાં અતિવૃષ્ટીના કારણે પાક નુકસાનમાં વધુ 6 જિલ્લાનો ઉમેરો કરવામાં આવ્યો હતો. અતિવૃષ્ટીથી પાક નુકસાનમાં જે 6 જિલ્લાઓનો ઉમેરો કરાયો તેમાં બનાસકાંઠા, ભરૂચ, કચ્છ, સાબરકાંઠા, ગીર સોમનાથ અને આણંદ જિલ્લાનો સમાવેશ કરાયો હતો. સહાય માટે સર્વેની કામગીરી કરવામાં આવી જેમાં હજુ પણ સહાયથી વંચિત જિલ્લાઓમાં સર્વેની કામગીરી ચાલી રહી છે. મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા કુલ 69 કરોડ 77 લાખ 44 હજારની સહાય ચૂકવાઈ છે.