હજુ પણ વરસાદ લંબાશે તો ખેડૂતોની મુશ્કેલી વધશે, સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા
ગીરસોમનાથના કોડીનારના દુદાણા ગામની વાત
જ્યાં વરસાદ ખેંચાતા મુશ્કેલીમાં છે ખેંડૂત
10 દિવસથી વરસાદ ખેંચાતા પરેશાન ખેડૂત
રાજ્યમાં વરસાદ તો ભરપૂર પડ્યો છે પણ હજુ કેટલીક જગ્યાએ વરસાદ ખેંચાતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. વાત છે ગીરસોમનાથના કોડીનારના દુદાણા ગામની જ્યાં વરસાદ ખેંચાતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. પિયત કરવામાં ખેડૂતોએ મહામહેનત કરવી પડી રહી છે.
વે મગફળીના ખેડૂતો પિયત દ્વારા પાક બચાવવા મથી રહ્યા છે
ગીર સોમનાથના ખેડૂતોની વ્યથા સાંભળીને ભારે વરસાદ તો પડ્યો પણ હજુ ખેડૂતોને પાક બચાવવા માટે કરવી પડે છે મથામણ. પહેલા સતત વરસાદ પડતા ગીરના ખેડૂતોના પાક લીલા દુકાળના કારણે બગડી ગયો. ખેતરોમાં ન તો નિંદામણ થયું. ન પાકમાં ખેડ થયું. અને હવે છેલ્લા 10 દિવસથી વરસાદ ખેંચાતા હવે મગફળીના ખેડૂતો પિયત દ્વારા પાક બચાવવા માટે પોતાનો જીવ રેડી રહ્યાં છે. ખેડૂતોનું કહેવું છે કે ગીર વિસ્તારમાં આ વર્ષે કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિી છે જેના કારણે નુકસાન થયું છે. જો કે છેલ્લા 10થી વધુ દિવસ થયા પણ વરસાદ નથી પડ્યો. જેના કારણે પાક હવે સુકાવા લાગ્યો છે. અને હાલનો સમય એવો છે કે મગફળી જેવા પાકને પિયત આપવી પડે. અને પિયત ન આપી શકીએ તો પાક સુકાઇ જાય છે. જેના કારણે ઉત્પાદનમાં પણ ખેડૂતોને કંઇ નથી મળતું.
પાક મુરઝાઈ જવાનો ડર
ખેડૂતોનું કહેવું છે કે કૂવામાં પાણી તો છે પણ વીજળીના ધાંધિયા છે. જેના કારણે સમયસર પિયત નથી કરી શકાતું. ત્યારે હાલ તો કૂવાઓમાં તળ ઉપર છે એટલે ખેડૂતોને મુશ્કેલી ઓછી છે પરંતુ જો હજુ પણ વરસાદ લંબાશે તો ખેડૂતોની મુશ્કેલી વધશે. જેને લઇ નુકસાન થવાનો ભય છે.
તારીખ 6થી 8 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે
વધુમાં તમને જણાવી દઇએ કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગરમાં બીજું વહન શરૂ થવાની તૈયારી છે. ત્યારે તારીખ 6થી 8 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જ્યારે 11 અને 12 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં ફરી વરસાદ થવાની શક્યતા રહેલી છે. નવરાત્રિના સમયમાં રાજ્યના વિવિધ ભાગમાં વરસાદ પડશે. તો તારીખ 10 ઓક્ટોબરની આસપાસ પણ રાજ્યમાં વરસાદ વરસી શકે છે. એ સિવાય સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. તો ઓક્ટોબર અને નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.