ભાવનગરઃ ઓછા વરસાદના કારણે પાક નિષ્ફળ જવાની ભીતી વચ્ચે ભાવનગરના ખેડૂતો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. ભાવનગરના ખેડૂતોને સિંચાઇ માટે પાણી છોડવામાં આવ્યું છે. શેત્રુંજી ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડાયું છે.
શેત્રુંજી ડેમમાં હાલ 23.8 ફૂટ પાણીની સપાટી છે. ત્યારે સિંચાઇ માટે પાણી છોડાતા પાલીતાણા તળાજા ઘોઘા મહુવાના ખેડૂતોને લાભ મળશે. જો કે 25 દિવસ સુધી પાણીની સપ્લાય ચાલુ રહેશે. દરરોજ માટે 60 ક્યૂસેક પાણી છોડવામાં આવશે.
પાણી માટે ખેડૂતોના ઉભા મોલ સુકાવાની ભીતી હતી. ત્યારે સિંચાઇનું પાણી છોડાતા ખેડૂતોમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી છે. જો કે પાણીનો બગાડ ન કરવા માટે ખેડૂતોને અપીલ કરી છે.