મુંબઇ: કિસાન અને આદિવાસી લોક સંઘર્ષ સમિતિના બેનર નીચે લગભગ 20 હજાર ખેડૂતો પોતાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આ તમામ ખેડૂતો મુંબઈના થાણે પહોંચ્યા છે. મુલુંડથી આઝાદ મેદાન સુધી ખેડૂતોની માર્ચ યોજાશે અને આવતીકાલે તેમની બે દિવસીય રેલીનું સમાપન થશે.
અગાઉ માર્ચ મહિનામાં પણ આવો જ મોટો વિરોધ સામે આવ્યો હતો. જેમાં નાસિકથી 25 હાજર ખેડૂતો મુંબઈ આવ્યા હતા. ખેડૂતોની માગની વાત કરવામાં આવે તો લોડ શેડિંગની સમસ્યા વનાધિકાર કાયદો લાગુ કરવો દુકાળથી રાહત લઘુતમ ટેકાના ભાવ સ્વામીનાથન રિપોર્ટ લાગુ કરવાની વગેરે જેવી માગ સાથે ખેડૂતો રોડ પર ઉતરી આવ્યા છે.
#Mumbai માં કિસાન અને આદિવાસી લોક સંઘર્ષ સમિતિ દ્વારા વિરોધ પોતાની માગ સાથે થાણે પહોંચ્યા 20 000 ખેડૂતો મુલુંદથી આઝાદ મેદાન સુધી ખેડૂતોની માર્ચ
બે દિવસની રેલીનું આવતીકાલે થશે સમાપન ગત માર્ચ મહિનામાં પણ 25 000 ખેડૂતો નાસિકથી મુંબઈ આવ્યા pic.twitter.com/Ibn5mAnyx2
ઉલ્લેખનીય છે કે ખેડૂતોનું કહેવું છે કે પાછલા પ્રદર્શનને લગભગ નવ મહિના થઈ ગયા. જેમાં ખેડૂતોને આપવામાં આવેલા આશ્વાસન હજુ સુધી પૂરા થયા નથી.
તો ખેડૂતોના આ આંદોલનમાં અનેક સમાજીક કાર્યકર્તાઓ પણ સામેલ થયા છે. સંગઠન તરફથી કહેવામાં આવી રહ્યું છે કે જો મહારાષ્ટ્ર સરકાર તરફથી કોઈ ચોક્કસ આશ્વાસન આપવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બની શકે છે.