ખેડૂતો-મજૂરોની સમસ્યાઓને લઇને ભારતીય ખેડૂત સંગઠનના નેતૃત્વમાં હજારો ખેડૂત સહારનપુરથી દિલ્હી માટે પગપાળા યાત્રા કરી રહ્યા છે. ટ્રેક્ટર-ટ્રોલી પર બેસી અને પદયાત્રા કરતા ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. મંગળવારે મેરઠથી રવાના થયેલ ખેડૂતોની પદયાત્રા બુધવારે ગાજિયાબાદ પહોંચશે. ત્યારબાદ નોઇડા થઇને 21 સપ્ટેમ્બરે દિલ્હી પહોંચીને મોદી સરકારની સામે પોતાના 11 સૂત્રોની માંગ કરશે.
મેરઠથી રવાના થયેલ ખેડૂતોની પદયાત્રા બુધવારે ગાજિયાબાદ પહોંચશે
ત્યારબાદ નોઇડા થઇને 21 સપ્ટેમ્બરે દિલ્હી પહોંચશે
21 સપ્ટેમ્બરે દિલ્હી પહોંચીને મોદી સરકાર સામે કરશે માંગ
ભારતીય ખેડૂત સંગઠનના ઉપાધ્યક્ષ રાધે ઠાકુરે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સહારનપુરથી દિલ્હી માટે નીકળેલી 'ખેડૂત-મજૂર યાત્રા' માં હજારો ખેડૂતો સામેલ થયા છે. સહારનપુરથી દિલ્હીના કિસાન ઘાટ સુધી પગપાળા યાત્રા કરી રહ્યા છે. એમણે કહ્યું કે વર્તમાન સમયમાં ખેડૂતોની હાલત દયનીય છે. અને ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. પરંતુ સરકાર હાથ પર હાથ રાખી સુઇ રહી છે.
રાધે ઠાકુરે કહ્યું કે સમયસર ખેડૂતોને શેરડીના મૂલ્યની ચુકવણી નથી થઇ રહી. યોગી સરકારે વીજળીના દર વધારીને ખેડૂતોની કમર તોડી નાંખી છે અને દેવાને પગલે ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂર થઇ રહ્યા છે. આ કારણે દેશના ખેડૂતોને દિલ્હી પગપાળા આવવા માટે કૂચ કરવી પડી રહી છે. જ્યાં સુધી ખેડૂતોની માંગ વિશે સરકાર કોઇ નક્કર આશ્વાસન નથી આપતી ત્યાં સુધી ખેડૂતો દિલ્હી છોડવાના નથી. ભલે કેટલાય દિવસો સુધી દિલ્હીમાં પડાવ નાંખવો પડે.
ખેડૂત મજૂર અધિકાર યાત્રા દરમિયાન સુશીલ ચૌધરી નામના ખેડૂતે કહ્યું કે, શેરડીના મૂલ્યની ચૂકવણી નથી થઇ. રેટ પણ બે વર્ષથી વધ્યા નથી. આ ઉપરાંત સરકારે ડીઝલ અને વીજળીના ભાવમાં વધારો કરી તેમની કમર તોડી નાંખી છે. અન્ય એક ખેડૂત નેતા સોમપાલ સિંહે કહ્યું કે, શેરડીના મૂલ્યની ચૂકવણી ન થતા આર્થિક સ્થિતિ એ હદે ખરાબ થઇ ગઇ છે કે, બાળકોની ફી પણ નથી ભરી શકતા. બે ટાઇમ ભોજન પણ ફાંફા છે.
ખેડૂત સંગઠનોની મુખ્ય માંગ
1 ભારતના તમામ ખેડૂતોના દેવાને પૂર્ણ રીતે માફ કરવામાં આવે.