મોદી સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા આજે મોટી મહાપંચાયત બોલાવવામાં આવી છે જેમાં લાખોની સંખ્યામાં લોકોને ભેગા કરવાનું આયોજન છે.
યુપીમાં આજે ખેડૂતોની હુંકાર
ટિકૈત બંધુ કરવા જઈ રહ્યા છે મહાપંચયાત
યુપીની પોલીસ હાઇ અલર્ટ પર
યુપીના મુઝફ્ફરપૂરમા આજે ખેડૂતો દ્વારા મહાપંચયાતનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂત નેતાઓ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આજે પાંચ લાખથી વધારે લોકો આ સભામાં આવવાના છે. એવામાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે મોટું નિવેદન આપતા કહ્યું છે કે માત્ર ખેડૂતો જ નહીં બીજી સમસ્યા પર પણ ચર્ચા કરવામાં આવશે.
રોકવામાં આવ્યા તો બેરીયર તોડી દઇશું : રાકેશ ટિકૈત
મુઝફ્ફરનગરમાં મહાપંચાયતણે લઈને સુરક્ષાની લોખંડી વ્યવસ્થા કરવામાં આવી છે. દારૂની દુકાનો બંધ રાખવા આદેશ આપવામાં આવ્યા છે ત્યાં રાકેશ ટિકૈતે ધમકી આપી છે કે જો અમને રોકવામાં આવશે તો બેરીયર તોડી નાંખવામાં આવશે. સંયુક્ત કિસાન મોરચા દ્વારા રાજકીય ઇન્ટર કોલેજનાં મેદાનમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે.
મહિલાઓ પણ પહોંચી
ગઇકાલથી જ મહાપંચાયતમાં ભાગ લેવા માટે લોકો પહોંચી રહ્યા હતા અને મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ સભામાં આવી રહી છે. મહિલાઓને ગુરુદ્વારા અને શાળાઓમાં રોકવામાં આવી છે. ખેડૂતોનાં ભોજન માટે વિવિધ જગ્યાઓ પર પાંચસોથી વધારે સ્ટોલ લગાવવામાં આવ્યા છે.
ટિકૈત ભડકાઉ નિવેદન બાદ તંત્ર અલર્ટ પર
રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂતો કેટલા આવશે તેની સંખ્યા કહેવી તો શક્ય જ નથી પણ વાયદો કરું છું કે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થશે. ખેડૂતોને કોઈ રોકી શકશે નહીં, જો અમને રોકવામાં આવશે તો બેરીયરને તોડવામાં આવશે.