અમદાવાદ / બાવળા APMC ખાતે યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઈન

રાજ્યમાં યુરિયા ખાતરની અછત સર્જાઇ છે. જેને લઇ ખાતર લેવા ખેડૂતોની લાંબી લાઇનો લાગી છે. હાલ બાવળા ખાતે ખેડૂતોની લાઇન લાગી છે. મોટા પ્રમાણમાં ખેડૂતો ખાતર લેવા પહોંચ્યા છે. જ્યાં ખેડૂતોને 2 બોરી ખાતર આપવામાં આવે છે. એક વિઘા જમીન માટે એક બોરી ખાતરની જરૂરિયાત હોય છે. જો કે રવિ પાક વધતા ખાતરની માગ પણ વધી છે. ત્યારે ખેડૂતોને પૂરતુ ખાતર ન મળતા તેઓ મુશ્કેલીમાં મૂકાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ