મુંબઈના આઝાદ મેદાનમાં રવિવારે સંયુક્ત કિસાન મોર્ચા અને મહારાષ્ટ્ર કિસાન સંઘોની મહાપંચાયતમાં આવેલા ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકેતે આકરું વલણ દર્શાવ્યું.
મુંબઈથી ખેડૂત રાકેશ ટિકેતની ધમકી
...નહીં તો 26 જાન્યુઆરી બહુ દૂર નથીઃ રાકેશ ટિકેત
સરકાર વાતચીત નહીં કરે ત્યાં સુધી પ્રદર્શન ખતમ નહીં થાયઃ રાકેશ ટિકેત
ખેડૂત નેતા રાકેશ ટિકેતે MSP પર સરકારને મગજ ઠીક કરવા અને વાતચીતની ટેબલ પર આવવાની ચેતવણી આપી. ટિકેત ત્યાં જ ન અટક્યા, તેમણે વૉર્નિંગના લહેકામાં કહ્યું કે, 26 જાન્યુઆરી વધુ દૂર નથી, હજારો ટ્રેક્ટર દિલ્હી તરફ આવવાની રાહ જોઈ રહ્યા છે. દેશના 4 લાખ ટ્રેક્ટર અહીં જ છે, દેશના ખેડૂતો પણ અહીં જ છે.
ખેડૂતોના ધરણા ક્યારે પૂર્ણ થવાના સવાલ પર ટિકેટે કહ્યું કે, જ્યાં સુધી સરકાર વાતચીતના ટેબલ સુધી નથી આવતી, ત્યાં સુધી ખેડૂતોનું પ્રદર્શન ખતમ નથી થવાનું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અમે MSPની ગેરેન્ટી આપતા કાયદા સહિત 6 માંગો પર સરકાર સાથે વાતચીત ફરીથી શરૂ કરવા માટે કહી રહ્યા છીએ.
#WATCH | In Mumbai, BKU leader Rakesh Tikait says, "Govt of India should mend its ways and bring a law on MSP. Otherwise, January 26 (Republic Day) is not far, and 4 lakh tractors & farmers all are there." pic.twitter.com/sBMoJ9N1rI