કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાક મહિનાથી આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ આંદોલનના એક નેતા રાકેશ ટિકૈતની સંપત્તિનો ખુલાસો થયો છે.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતની સંપત્તિનો ખુલાસો
દેશના 4 રાજ્યોના 13 શહેરોમાં છે સંપત્તિ
પ્રદર્શન દરમિયાન પણ ગ્રોથ કરી રહ્યો છે ટિકૈતનો કારોબાર
ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈત ખુદને ખેડૂત નેતા કહે છે. તે ખેડૂતોના હકની લડાઈ લડવાનો દાવો કરે છે, જેનું જીવન દેવાના બોઝ નીચે દાબાયેલુ હોય છે અને કેટલાક તો આ બોઝમાં દબાઇને આત્મહત્યા કરી લે છે. ખેડૂતોની સરેરાશ કમાણી જાણો છો કેટલી છે? એક મહિનામાં માત્ર 6400 રૂપિયા. હવે સવાલ ઉઠે છે કે ખુદને ખેડૂત કહેવાનો દાવો કરતા રાકેશ ટિકૈતની કમાણી કેટલી છે?
ચોંકાવનારા છે આંકડા
વધુ પડતા ખેડૂતો 6 મહિના પાક ઉગાડે છે અને 6 મહિના બેરોજગાર રહે છે. જે પોતાના લોહીથી ખેતી કરો છો અને બીજાના માટે અન્ન ઉગાડે છે. કૃષિ પ્રધાન ભારતમાં આપણા ખેડૂતોની ગરીબી કોઇનાથી છૂપાયેલી નથી.
આંકડા અનુસાર ભારતમાં 100માંથી 52 ખેડૂતો એવા છે, જેના પર સરેરાશ 1 લાખ 40 હજાર રૂપિયાનું દેવું છે. વર્ષ 2019માં 10 હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી. 76 ટકા ખેડૂત એવા છે, જે હવે ખેતી છોડવા માગે છે. ગામડાઓમાં માત્ર 1 ટકા યુવાનો એવા છે જે ખેડૂત બનવા માંગે છે.
રાકેશ ટિકૈતને લઇને આ છે 4 મોટા સવાલ
સવાલ નં.1- રોડ પર બેસીને ખાવાનું ખાતા ખેડૂત નેતા રાકેશ ટિકૈતની પાસે કેટલી સંપત્તિ છે?
સવાલ નં.2- એક આંસૂથી આંદોલનમાં નવો જીવ ફૂંકનારા રાકેશ ટિકૈતનો બિઝનેસ કેટલો મોટો છે?
સવાલ નં.3- કૃષિ કાયદા પર મોદી સરકારના નાકમાં દમ કરનારા ખેડૂત નેતા રાકેશ ટિકૈત પાસે કેટલા શોરૂમ અને કેટલા પેટ્રોલ પંપ છે?
સવાલ નં.4- બે મહિનાથી રોડ પર દિવસ રાત વિતાવનારા ખેડૂત નેતા રાકેશ ટિકૈતના બાળકો ક્યાં રહે છે અને શું કરે છે?
દેશના 4 રાજ્યો અને 13 શહેરમાં છે ટિકૈતની સંપત્તિ
રાકેશ ટિકૈતની 4 રાજ્યોમાં સંપત્તિ છે. જેમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને મહારાષ્ટ્ર છે. એક આંકડા અને અનુમાન અનુસાર રાકેશ ટિકૈતની દેશના 13 શહેરોમાં સંપત્તિ છે, જેમાં મુઝફ્ફરનગર, લલિતપુર, ઝાંસી, લખીમપુર ખીરી, બિઝનૌર, બદાયૂં, દિલ્હી, નોઇડા, ગાઝિયાબાદ, દેહરાદૂન, રૂડકી, હરિદ્વાર અને મુંબઈ સામેલ છે. એક અંદાજ અનુસાર, રાકેશ ટિકૈતની સંપત્તિ અંદાજિત 80 કરોડ રૂપિયાની છે.
પ્રદર્શન દરમિયાન પણ ગ્રોથ કરી રહ્યો છે ટિકૈતનો કારોબાર
રાકેશ ટિકૈત અંદાજિત 2 મહિનાથી દિલ્હીના ગાઝીપુર બોર્ડર પર ધરણા-પ્રદર્શનને લીડ કરી રહ્યા છે, પરંતુ આ દરમિયાન પણ તેમને બિઝનેસ આગળ વધી રહ્યો છે. તેમની કરોડોની સંપત્તિમાં વધુ વધારો થઇ રહ્યો છે. જણાવી દઇએ કે, અમારુ એ કહેવું નથી કે રાકેશ ટિકૈતની સંપત્તિ ગેરકાયદે છે. તે પોતાની મહેનતથી બનાવેલી સંપત્તિ હોઇ શકે છે, પરંતુ શું ખેડૂત આંદોલનનું સત્ય એ છે કે જે અમીર છે તેઓ પ્રદર્શન કરી રહ્યા છે અને જેઓ ગરીબ ખેડૂત છે તેઓ ખેતરોમાં પોતાના દેશને ભોજન પુરૂ પાડવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે?
રાકેશ ટિકૈત દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ હતા અને ખેડૂત નેતા કહેવાય છે, પરંતુ ખેતી તો માત્ર ટિકૈતના સામ્રાજ્યનો એક ભાગ છે. બીજા ભાગમાં બહુ બધા બિઝનેસ છે. આ તે બિઝનેસ છે, જેના માટે ખેડૂત નહીં પરંતુ નેતા બનવું પડે છે. 51 વર્ષના રાકેશ ટિકૈતના લગ્ન વર્ષ 1985માં સુનીતા દેવી સાથે થયા હતા અને તેમના ત્રણ બાળકો છે. એક દીકરાનું નામ ચરણસિંહ છે અને બે દીકરી સીમા ટિકૈત અને જ્યોતિ ટિકૈત છે.
ઓસ્ટ્રેલિયમાં રહે છે રાકેશ ટિકૈતની દીકરી
રાકેશ ટિકૈતની બન્ને દીકરીઓના લગ્ન થઇ ચૂક્યા છે. રાકેશ ટિકૈતની નાની દીકરી જ્યોતિ ટિકૈત ઓસ્ટ્રેલિયામાં રહે છે. ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં 8 ફેબ્રુઆરીએ કૃષિ બિલના વિરોધમાં બેઠેલા પ્રદર્શનકારીઓના સમર્થનમાં રેલી યોજવામાં આવી હતી, જેમાં ખુદ ટિકૈતની દીકરી પણ હાજર રહી હતી અને ઓસ્ટ્રેલિયાના લોકોને ખેડૂત આંદોલનના સમર્થન કરવા માટે બોલી રહી હતી.
ગેરકાયદે પાળ્યું છે હરણ
જ્યાં એક તરફ રાકેશ ટિકૈત ખુદને ખેડૂતના હક માટે લડનારા ગણાવે છે તો બીજી તરફ તેની આડમાં રાકેશ ટિકૈતે ગેરકાયદે હરણ પાળી રાખ્યું છે. જણાવી દઇએ કે, ભારતમાં હરણ સહિત કોઇ પણ જંગલી જાનવરને પકડીને બંધ કરવું ગુનો છે. જેના દોષીને 7 વર્ષની સજા અથવા 25 હજાર રૂપિયાનો દંડ અથવા બન્ને થઇ શકે છે.