ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન થાનના ધારાસભ્ય પ્રેમસિંહ વસાવા નાંદોદના નર્મદા જિલ્લામાં નુકસાન થયેલ પાકને સહાય બાબતના એક પ્રશ્નમાં ખેડૂતોને પાક વીમો ચૂકવવા સરકારે પેકેજ જાહેર કર્યું છે.
ગુજરાત વિધાનસભામાં શિયાળુ સત્રનો ત્રીજો
ખેડૂતોને સહાય મુદ્દે ગૃહમાં હંગામો
કોંગ્રેસનો વોકઆઉટ
તેમાં વધારો કરે તેમજ પાક વીમાની રકમની 100 ટકાની ચૂકવણીના મુદ્દે ગૃહમાં હંગામો મચ્યો હતો. કૃષિપ્રધાન આરસી ફળદુ આ મુદ્દે જવાબ આપવા ઊભા થયા ત્યારે વિપક્ષના તમામ સભ્યો ખેડૂતોને સહાય મુદ્દે વેલમાં ધસી આવ્યા હતા, અને વિરોધ પક્ષના નેતા સહિત તમામ સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. જોકે તેની પાંચ મિનિટ બાદ પ્રશ્નોતરી કાળ સમાપ્ત થતાં વિપક્ષના સભ્યો પોતાનાં સ્થાને પરત ગોઠવાઇ ગયા હતા.
અમદાવાદ જિલ્લામાં શિક્ષિત બેરોજગારોના વિધાનસભામાં થઇ શાબ્દિક ટપાટપી
વિધાનસભાગૃહમાં આજે અંતિમ દિવસે પ્રશ્નોત્તરીકાળ દરમિયાન અમદાવાદ જિલ્લામાં શિક્ષિત બેરોજગારોના મુદ્દે વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી.
પરેશ ધાનાણીએ બેરોજગારી અંગે ચિંતા વ્યક્ત કરી
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાતમાં શિક્ષિત બેરોજગારી અંગે ચિંતા વ્યક્ત કરતા આંકડાની જાહેરાત કરતાં જ વિરોધમાં શાસક પક્ષના સભ્યો ઊભા થઇ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો.
વિધાનસભામાં રજૂ થયો કેગનો રિપોર્ટ
દરમિયાન ગોધરાકાંડ અને ત્યારબાદનાં રમખાણોને લઇ ગુજરાત સરકારે રચેલા નાણાવટી તપાસપંચનો અહેવાલ ઘટનાનાં 17 વર્ષ બાદ રાજ્ય સરકારે વિધાનસભાગૃહમાં મૂક્યો હતો. પંચે નવેમ્બર-2014માં આ અહેવાલ સરકારને સોંપ્યો હતો. વિધાનસભામાં આજે કેગનો રિપોર્ટ પણ મૂકવામાં આવ્યો હતો.