ખેડૂતો નવા કૃષિ કાયદાના વિરોધમાં 26 જાન્યુઆરીયાના રોજ ટ્રેકટર માર્ચ કાઢવાનું વિચારી રહ્યા છે, જેને લઈને ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે.
ખેડૂતોએ મોદી સરકારને આપઇ ચીમકી
26 મી જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી કરવા માટે મક્કમ છે ખેડૂતો
સુપ્રીમે દિલ્હી પોલીસને આ મુદ્દે પોતાની રીતે નિર્ણય લેવા કહ્યું
દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂત આંદોલન ને હવે લગભગ બે મહિના જેટલો સમય વીતવા આવ્યો છે. અત્યાર સુધીમાં ખેડૂતો અને સરકાર વચ્ચે 10 રાઉન્ડની વાતચીત યોજાઈ ગઈ છે છતાં પણ આ મડાગાંઠનો ઉકેલ હજુ આવ્યો નથી, ત્યાં ખેડૂતોએ અગાઉથી આપેલી ચેતવણી પ્રમાણે 26મી જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ટ્રેકટર રેલી કાઢવાની વાતનો પુનરોચ્ચાર કર્યો છે અને આ વખતે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સરકારને ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે ખબરદાર દિલ્હી, અમારા ટ્રેકટર રેલીને જે રોકવાનો પ્રયાસ કરશે તેનો અમે ઈલાજ કરી દઈશું.
અમને ખબર જ છે કે કમિટી શું પરિણામ આપશે ? : ખેડૂતો
આ સિવાય વધુમાં તેમેં સુપ્રીમ કોર્ટે નીમેલી કમિટી અંગે વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે અમને ખબર જ છે કે કમિટી શું રિઝલ્ટ આપશે? કમિટી છેલ્લે તો કૃષિ કાયદાઓને જ વધુ સારા બતાવવાની છે અને 10 વધુ લોકોના નામ લખીને જણાવશે જે કાયદાને વધુ સારો કહેશે.
રાકેશ ટિકૈતે કહ્યું હતું કે ટ્રેકટર માર્ચને કોણ રોકશે? પોલીસ તો તિરંગા ઝંડા હાથમાં લઈને ટ્રેકટરને સેલ્યુટ કરશે, દેશને ગણતંત્ર દિવસ મનાવવાનો અધિકાર છે અને કોઈના બાપની જાગીર નથી ગણતંત્ર દિવસ. આ વખતે હિન્દુસ્તાનનો ખેડૂત દેશનો ગણતંત્ર દિવસ મનાવશે. દુનિયાની સૌથી મોટી પરેડ આપણે મનાવીશું. ખેડૂતો અહીં દિલ્હીમાં આવશે, તો કોણ રોકશે તેમને, જો કોઈએ ટ્રેકટરને રોકવાની કોશિશ કરી છે તો અમે તેનો ઈલાજ કરી દઈશું.
સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કોઈ પણ આદેશ આપવાથી ઇનકાર કર્યો હતો
ખેડૂતો નું કહેવું છે કે તેઓ તો જવાનોનો મનોબળ વધારવા માટે આ માર્ચ કરવા માંગે છે અને આ મુદ્દે તેમને પોલીસને ખાતરી આપી છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કોઈ પણ રીતે જોખમાવા નહિ દે. મહત્વનું છે કે ટ્રેકટર રેલીના મુદ્દે દિલ્હી પોલીસે સુપ્રીમમાં અરજી કરી હતી પરંતુ સુપ્રીમે આ મુદ્દે કોઈ પણ આદેશ આપવાનો ઇન્કાર દીધો હતો અને દિલ્હી પોલીસને પોતાની રીતે નિર્ણય લેવાનું કહ્યું હતું.