પ્રધાનમંત્રી પાક વીમ યોજનાનો ગુજરાતમાં યોગ્ય અમલ નહીં થઈ રહ્યો હોવાની ફરિયાદ થઇ છે. આ સાથે હાઇકોર્ટમાં ખેડૂતો દ્વારા પિટિશન કરવામાં આવી હતી. હાઇકોર્ટે વીમા કંપનીઓ સામે લાલ આંખ કરીને સરકાર અને વીમા કંપનીને જવાબ રજુ કરવા આદેશ કર્યો છે. વર્ષ 2017-18માં સૌરાષ્ટ્રના ખેડૂતોને પાક વીમાનો લાભ ન મળતા અંતે ખેડૂતો કોર્ટના શરણે આવ્યા છે. જેની સૂનાવણી ફેબ્રુઆરી મહિનામાં હાથ ધરાશે. ત્યારે બીજી તરફ ગુજરાતના સાંસદોએ ખેડૂતોના મુદ્દાને સંસદમાં ઉઠાવ્યા છે.
પાક વિમાને લઈને ખેડૂતોમાં સરકાર અને વીમા કંપની સામે આક્રોશ છે. ત્યારે ખેડૂત મુદ્દે વધુ એક સાંસદે સંસદમાં મુદ્દો ઉઠાવ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ખેડૂતોના રોષથી નેતાઓ રજૂઆતો માટે મજબુર બન્યા છે. ખેડૂતોને સિંચાઇ યોજનાનો લાભ મળી રહ્યો નથી. સાંસદ પરબત પટેલ અને પૂનમ માડમે પણ ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હતો.
વીમા કંપનીઓ ખેડૂતોને વળતર આપે તેઓ આ કમિટી આદેશ કરેઃ પૂનમ માડમ
જામનગર સાંસદ પૂનમ માડમે લોકસભામાં વીમા કંપનીઓની દાદાગીરી સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યુ હતું કે, વીમા કંપનીઓની મનમાનીના કારણે ખેડૂતોને અધિકારી મળતો નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુક્ત કમિટી હેઠળ તપાસ થાય તેવી પણ તેમણે માંગ કરી હતી. આ વીમા કંપનીઓ ખેડૂતોને વળતર આપે તેવો આ કમિટી આદેશ કરે તેવી માંગ પૂનમ માડમે કરી હતી. પૂનમ માડમે કહ્યું હતું કે, સરકારના પ્રયત્નો હોવા છતાં વીમા કંપનીઓની મનમાનીના કારણે ખેડૂતોને તેમને અધિકાર નથી મળી રહ્યો. વીમા કંપનીઓએ યોગ્ય આંકલન ન કર્યુ હોય તેના કારણે ખેડૂતોને તેમના હક નથી મળી રહ્યો.
बीमा कम्पनीयो की मनमानी को रोकने के लिए आवश्यक निर्देश व उचित समिति गठन के कदम उठाए जाए जिससे किसानो को सरकार द्वारा प्रदत्त सहायता राशि पूरी तरह प्राप्त हो सके और किसान समृद्ध बने। (2/2) pic.twitter.com/H5VKps45NY
વીમા કંપનીઓએ ગુજરાતના ખેડૂતો સાથે ગરબડ કરીઃ પરબત પટેલ
પરબત પટેલે લોકસભામાં કહ્યું હતું કે, સરકારોનો ઈરાદો સારો પણ વીમા કંપનીઓ બેજવાબદાર છે. કમોસમી વરસાદથી ગુજરાતના ખેડૂતોને નુકસાન થયું છે. પાક વીમા યોજના ખૂબ સારી છે પણ કંપનીઓ બેજવાબદાર છે. કંપનીઓના બેજવાબદાર વર્તનના કારણે સર્વેમાં મુશ્કેલી થઈ છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, 72 કલાકમાં ખેડૂતોએ ફરિયાદ કરવાની હતી પણ કંપનીઓએ ગરબડ કરી. કોલ સેન્ટર પર કોઈએ ફોન ઉઠાવ્યા નહીં અને ખેડૂતોને મુશ્કેલી થઈ. બેજવાબદાર અધિકારીઓના નંબર આપ્યા તો ખેડૂત ફરિયાદ ક્યાં કરે? સર્વે કરવા કંપનીના માણસો જાય ત્યારે ખેડૂતની ફરિયાદ ધ્યાને લે. ફરિયાદનો સમય 72 કલાક હતો તેના બદલે હજુ ફરિયાદ લેવી જોઈએ.