કૃષિ મંત્રીએ ખેડૂતોની આવાકમાં બેથી દશ ગણો આજે વધારો થયો હોવાનો દાવો કરતા કહ્યું કે, આવા પ્રગતિશીલ ખેડૂતોને ગામે ગામ જઈને ખેતી કરી રહેલા લોકોને જાગૃત કરવા જોઈએ, જેથી તેઓ પણ સમૃદ્ધ બને.
કેન્દ્રીય કૃષિ મંત્રીએ ખેડૂતો માટે કરી જાહેરાત
ખેડૂતોની આવક ડબલ નહીં પણ 10 ગણી થઈ હોવાનો દાવો
પ્રાકૃતિક ખેતી કરવા પર ભાર આપ્યો
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત કિસાન ભાગીદારી, પ્રાથમિકતા અમારી, અભિયાનની શરૂઆત કરતા દેશભરના ખેડૂતો સાથે વાતચીત કરી હતી. આ દરમિયના તેમણે કહ્યું કે, સરકારના હિસાબે ખેડૂતોની આવક ડબલ નહીં પણ 10 ગણી વધી છે. કૃષિ મંત્રીએ ખેડૂતોની આવાકમાં બેથી દશ ગણો આજે વધારો થયો હોવાનો દાવો કરતા કહ્યું કે, આવા પ્રગતિશીલ ખેડૂતોને ગામે ગામ જઈને ખેતી કરી રહેલા લોકોને જાગૃત કરવા જોઈએ, જેથી તેઓ પણ સમૃદ્ધ બને.
ખેડૂતો અને તેમનો પરિવાર સદ્ધર થયો
તોમરે કહ્યું કે, આ કાર્યક્રમ અંતર્ગત પાક વિમા પાઠશાળાને સંબોધન કરતા કહ્યું કે, નવીનતમ ટેકનિક અને સરકારની કૃષિ સંબંધિત યોજનાઓ સાથએ જોડાયેલા ખેડૂતો સમૃદ્ધ થયા છે અને તેમના પરિવાર સદ્ધર થયા છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આવા ખેડૂતોની આવક બેથી દશ ગણો વધારો થયો છે. તેમણે કહ્યું કે, આ ખેડૂતો કૃષિ રાજદૂત બનીને ગામે ગામ જાય અને ખેતીની અર્થવ્યવસ્થા મજબૂત થઈ જશે.
સરકાર ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે
કૃષિ મંત્રીએ વધુમાં કહ્યું કે, આજે ખેડૂતોને તેમના પાકનું બજારમાં એમએસપીથી સારી કિંમત મળી રહી છે. ઘઉં અને સરસવનું સારામાં સારુ વળતર મળી રહ્યું છે તથા સરસવ તેલમાં મિલાવટને રોકવામાં આવી છે. જેનાથી ખેડૂતો ખૂબ ખુશ છે. સરકાર આ રીતે અન્ય પગલા પણ ઉઠાવી રહી છે જે ખેડૂતોના હિતમાં હોય. તેમણે કહ્યું કે, ગ્રામિણ ક્ષેત્રમાં કૃષિ આધારિત સંરચનાઓના નિર્માણ માટે એક લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં આઠ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. તેનાથી ભંડારણ અને અન્ય સુવિધાઓનો વિકાસ કરવામા આવશે. આ મામલે બેંકોનું યોગદાન પણ સરાહનીય છે.
પ્રાકૃતિક ખેતી પર ભાર આપ્યો
તોમરે પ્રાકૃતિક ખેતીને મિશન મોડમાં લાગૂ કરવા પર ભાર આપતા કહ્યું છે કે, તેનાથી કૃષિ ખર્ચ ઓછો થશે તથા ખેડૂતોના ઉત્પાદનોને સારુ એવુ વળતર મળશે. હાલમાં 38 લાખ હેક્ટર જમીન પર જૈવિક ખેતી કરવામાં આવી રહી છે. જેનાથી ખેડૂતોને સારો એવો લાભ મળી રહ્યો છે. તેમણે કહ્યું છે કે, પ્રકૃતિથી તાલમેલ બગડવાથી અનેક સમસ્યાઓ આવી છે. રાયાયણિક ખાતર માટે આપણે બીજા દેશો પર નિર્ભર છીએ પણ જો તે ખાતર આપવાની ના પાડે તો, સમસ્યા આવે છે.