દક્ષિણ ગુજરાતના ખેડૂતો ફરી એકવાર માઠા સમાચાર સામે આવી રહ્યાં છે. DGVCLએ જાહેરાત કરી કે, ખેતી માટે ખેડૂતોને 8 કલાકના બદલે 6 કલાક વીજળી અપાશે.
દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર
DGVCL 8 કલાકને બદલે 6 કલાક વીજળી આપશે
DGVCL દ્વારા ખેડૂતોને SMS કરી જાણકારી અપાઈ
ગુજરભરમાં વીજળીની સમસ્યાથી ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે. જેને લઈને ઠેર ઠેર ખેડૂતો આંદોલીત જોવા મળી રહ્યા છે. જેને લઈને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મળતી વીજળીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવેથી ખેડૂતોને 8 કલાક સતત વિના કાપે વીજળી મળી રહેશે. ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે માટે માઠા સમાચાર આવી રહ્યાં છે.
દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર
DGVCLએ ખેતી માટે ખેડૂતોને 8 કલાકના બદલે 6 કલાકનો વીજળી અપાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, DGVCL દ્વારા આ અંગે ખેડૂતોને SMS કરી જાણકારી આપવામાં આવી છે. આમ DGVCL દ્વારા એકા એક વીજકાપના નિર્ણયના પગલે ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.
અપૂરતી વીજળીને કારણે પાકોમાં ભારે નુકસાન થવાની ભિતી
ઉલ્લેખનીય છે કે, DGVCL આ નિર્ણયથી ડાંગર, શેરડી સહિતના બાગાયત પાકોમાં ભારે નુક્સાન થવાની ભિતી ખેડૂતોમાં થઈ રહી છે. આમ થોડાક જ દિવસોમાંજ સરકારે વીજળી બાબતે નિર્ણય બદલતા ખેડૂતોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે.
અગાઉ ઉર્જામંત્રીએ ખેડૂતોને 8 કલાક વીજળીની કરી હતી જાહેરાત
તાજેતરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલનું ખેડૂતોને મળતી વીજળીને લઈને પટેલે મહત્વનું નિવેદન કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું છે કે, સરકાર દ્વારા ખેડૂતોને મળતી વીજળીને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે. હવેથી ખેડૂતોને 8 કલાક સતત વિના કાપે વીજળી મળી રહેશે. અને આજથી જ આ બાબતે અમલીકરણ કરવામાં આવશે. આ નિર્ણયથી ખેડૂતોને નર્મદા ના પાણીનો વધારે લાભ મળશે.