રાજ્યમાં નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્વ પટેલ અને તમેના મંત્રી મંડળ પાસે ગીર સોમનાથ, ગીર ગઢડા અને કોડીનારના ખેડૂતો સહાયની આશા રાખીને બેઠા છે.
તૌકતે વાવાઝોડાની તારાજીના 4 મહિના પછી પણ ખેડૂતો સહાયથી વંચિત
વારંવાર રજૂઆત કરાઈ હોવા છતા સહાય ખાતામાં નથી થઈ જમા
ખેડૂતો નવા મંત્રી મંડળ પાસે આશા રાખીને બેઠા છે
વારંવાર રજૂઆત કરવા છતાં પણ સહાય નહીં મળતાં ખેડૂતો પરેશાન
તૌકતે વાવાઝોડાને 4 મહિના થયા હોવા છતાં ખેડૂતોમાં હજુ પણ તેની અસર જોવા મળી રહી છે. તૌકતે વાવાઝોડા બાદ સરકાર દ્વારા નુક્સાનીનો સર્વે કરી પીડિત ખેડૂતોને સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ ઉના, ગીર ગઢડા, કોડીનારના ખેડૂતોને વાવાઝોડાના 4 મહિના થવા છતાં પણ સહાયથી વંચિત છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ સહાય નહીં મળતાં ખેડૂતો પરેશાન થઈ ગયા છે.
ખેડૂતો નવા મંત્રી મંડળ પાસે આશા રાખીને બેઠા છે
ત્યારે રાજ્યમાં નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્વ પટેલ અને તમેના મંત્રી મંડળ પાસે ગીર સોમનાથ, ગીર ગઢડા અને કોડીનારના ખેડૂતો સહાયની આશા રાખીને બેઠા છે. ઉલ્લેખનીય છે અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતોઓએ આ મામલે વારંવાર રજૂઆતો અને આવેદનપત્ર આપવા છતાં હજી સુધી ખેડૂતોના ખાતામાં સહાય જમા નથી થઈ
પૂર્વમંત્રી વિજય રૂપાણીએ રૂ 500 કરોડની જાહેરાત કરી હતી
તૌકતે વાવાઝોડાની તબાહી બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કૃષિ સહાય પેકેજ પેટે રૂ. 500 કરોડ કરોડની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 33 ટકા નુકસાન હશે તેવા ખેડૂતના તમામ બાગાયતી પાકના વૃક્ષો નાશ પામ્યો હોય તો હેકટરદીઠ રૂ.1 લાખ મહત્તમ બે હેકટર સુધી અપાશે. તેમણે કહ્યું કે, બાગાયતી પાકમાં વૃક્ષ ઊભું હોય પણ પાક ખરી ગયો હોય તો 30 હજાર પ્રતિ હેકટરદીઠ, ઉનાળું પાક જેવા કે બાજરો,કઠોળ સહિતના પાકમાં 20 હજાર પ્રતિહેકટરદીઠ અપાશે.