કમોસમી વરસાદને કારણે ગુજરાતનાં ખેડૂતોને બહું મોટું નુકસાન થયું છે. જેને પગલે રાજ્ય સરકારે ખેડૂતોને વળતર મેળવવા માટે 72 કલાકનો સમય આપ્યો હતો. જેમાં એક સમસ્યાએ હતી કે વીમા કંપનીઓ જાણી જોઈન હેલ્પલાઈન બંધ રાખી હતી. બીજી સમસ્યા હાલમાં એ ઉભી થઈ છે કે સરકારની પાકનાં વળતરની આ જાહેરાત અંતરિયાળ ગામનાં લોકો સુધી પહોંચી જ નથી. તેઓ પાસે એવી કોઈ સુવિધા કે માધ્યમ જ નહોતું કે સરકારી જાહેરાત તેમનાં સુધી પહોંચે.
કમોસમી વરસાદમાં પાકનાં નુકસાનની જાહેરાતથી કેટલાક ગામ અજાણ
સરકારની વળતરીની જાહેરાત અંતરિયાળ ગામ સુધી પહોંચી જ નથી
જે લોકોને માહિતી નથી મળી શું તેમને વળતર માટે સમય વધારી અપાશે?
છોટા ઉદેપુરનાં અંતરિયાળ ગામ સરકારની જાહેરાતથી અજાણ
છોટાઉદેપુરમાં કમોસમી વરસાદને પગલે ઉભા તૈયાર પાકોને મોટા પાયે નુકસાન થયું છે. સરકારે ખેડૂતોને પોતાની નુકસાની નોંધાવા હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લા અંતરિયાળ વિસ્તારના લોકોને આ અંગે કોઇ જાણ જ નથી. કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કરી 24 કલાકમાં નુકસાની અંગે અરજી કરવા કહ્યું છે, પરંતુ અંતરિયાળ વિસ્તારમાં હજુ સુધી કોઇને આ અંગે જાણ નથી.
શુ સરકાર આ ગામના લોકો માટે અરજીની સમય મર્યાદા વધારશે?
અંતરિયાળ ગામડા પાકનાં નુકસાનનાં વળતરની જાહેરાતથી અજાણ હોવાની ઘટનાને પગલે સરકારની મદદ નહી કરવાની ખોરી દાન હોય તેવું સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં સરકાર અંતરિયાળ ગામ સુધી યોગ્ય અને પુરતી માહિતી મોકલાવે તેવી ખેડૂતોએ ઈચ્છા વ્યક્ત કરી છે. સાથે સાથે સરકાર વળતર માટે કરવામાં આવતી અરજીનો સમયગાળો વધારે તેવી ખેડૂતોએ ઈચ્છા વ્યક્ત કરી છે.
હજું કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનમાંથી ખેડૂતો ઉભર્યા નથી ત્યાં બીજી તરફ મહા વાવાઝોડાનું સંકડ તોડાઈ રહ્યું છે. ત્યારે સરકારે પાકને ઢાંકી દેવાની સલાહ આપી છે.