મોરબી અને માળિયા તાલુકામાં ખેડૂતોને પાક નુકસાન બદલ કૃષિ સહાય હજુ સુધી ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને તાત્કાલિક સહાય કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.
મોરબી અને માળિયા તાલુકાના ખેડૂતોની માગ
ખેડૂતોએ પાક નુકસાન બદલ કૃષિ સહાય પેકેજની માગ કરી
મોરબી જિલ્લામાં કુલ 22,130 જેટલા ખેડૂતોએ કરી અરજી
મોરબી જિલ્લાના બે તાલુકામાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. જેને લઈને સરકાર દ્વારા પાક નુકસાન બદલ ખેડૂતોને કૃષિ સહાય જાહેર કરવામાં આવી હતી. પરંતું હજુ પણ ખેડૂતોને સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી કૃષિ સહાયની રકમ મળી નથી. જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આથી તાત્કાલિક સહાય ચુકવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે વરસાદી પાણી ભરાતા અને સતત વરસાદ પડવાને કારણે ખેતરમાં કપાસ, મગફળી સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યો હતો. તેથી પાક નિષ્ફળ ગયો હતો.
5,000 થી વધુ ખેડૂતોને સહાયની માંગ
મોરબી જિલ્લાના બે તાલુકામાં ભારે વરસાદના કારણે કૃષિ સહાય જાહેર કરવામા આવી હતી. ગત ચોમાસામાં મોરબી જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો જેથી ખેતરમાંથી એક પણ રૂપિયાની ઉપજ નીપજ મળેલ નથી. આ તાલુકામાંથી જે ખેડૂતો દ્વારા અરજી કરવામાં આવી હતી અને તેને સરકારના નિયમ મુજબ વધુમાં વધુ બે એકર સુધી 13,600 સરકારી સહાય ચૂકવવાની થાય છે જોકે મોરબી જિલ્લામાંથી કુલ મળીને 22,130 જેટલા ખેડૂતો દ્વારા અરજી કરવામાં આવી હતી જેમાંથી હજુ સુધી 17000 જેટલા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી છે અને 5,000 થી વધુ ખેડૂતોને આજની તારીખે સહાય જંખી રહ્યા છે.
બાકીના ખેડૂતોને કૃષિ સહાય ન મળતા ભારે મુશ્કેલી
માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામના ખેડૂત જયસુખભાઈ અને બીજલભાઈએ જણાવ્યું કે સરકારે જાહેર કરેલ કૃષિ સહાયની રકમ મેળવવા માટે થઈને સરકારના નિયત સમયગાળા દરમિયાન અરજી કરી દીધી હતી તેમ છતાં પણ આજની તારીખે આ ગામના 125 થી 150 જેટલા ખેડૂતોને સરકારી સહાય મળી છે અને બાકીના 1000 કરતા વધુ ખેડૂતોને સહાય મળી નથી.
મોટા દહીસરા ગામના 1000થી વધુ ખેડૂતોને સહાય મળી નથી
મોરબી જિલ્લાના ખેતી અધિકારી ડો. હસમુખ જીંજુવાડિયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે હાલમાં સરકાર તરફથી ગ્રાન્ટ આવી નથી જેથી અમુક ખેડૂતોની રકમ ચૂકવવાની બાકી છે અને સરકાર તરફથી ગ્રાન્ટ આવશે એટલે તરત જ ખેડૂતોને રકમ ચૂકવવા છે. મોરબી જિલ્લાની અંદર 5000 કરતાં વધુ ખેડૂતોને કૃષિ સહાય ચૂકવવામાં આવી નથી જેથી કરીને ખેડૂતો દ્વારા સરકાર વહેલા વહેલી તકે તેઓને કૃષિ સહાયની રકમ આપે તો આગામી સમયમાં ખેતી પાક લેવા માટે ખેડૂતો કામ કરી શકશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે.