મોદી સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોની આવક બમણી કરવાની છે ત્યારે વાંસની ખેતી પર એક ખાસ યોજના ચલાવવામાં આવી રહી છે.
વાંસના એક છોડ પર 120 રૂ. આપશે સરકાર
વાંસની ખેતી ખેડૂતોની આવક બમણી કરવા માટે મહત્વપૂર્ણ : કૃષિ મંત્રી
સરકારી નર્સરીમાં મફતમાં મળશે પ્લાન્ટ
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું છે કે સરકાર વાંસની ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. આનાથી ખેડૂતોની આવક વધશે અને મદદ મળશે. તોમરે કહ્યું કે સરકાર વાંસ ક્ષેત્રના વિકાસ માટે તપાસ કરી રહી છે અને વાંસની ખેતી ખેડૂતોની આવકને બમણી કરવા માટે એક મહત્વપૂર્ણ પાક બની શકે છે. તેનાથી રોજગારમાં વધારો થશે અને ખાસ કરીને પૂર્વોત્તરના લોકોના જીવનમાં સારો ફેરફાર થશે. નોંધનીય છે કે વાંસને લઈને એક રાષ્ટ્રીય પરિચર્ચા કરવામાં આવી રહી છે જેને કૃષિમંત્રીએ સંબોધિત કરી હતી.
દેશના ખેડૂતોના વિકાસ માટે મોદી સરકાર દ્વારા નેશનલ બેંબૂ મિશન ચલાવવામાં આવી રહ્યું છે. આ મિશન હેઠળ ખેડૂતો વાંસની ખેતી કરીને લાખો રૂપિયા કમાઈ શકે છે. આ મિશન હેઠળ જો કોઈ વાંસની ખેતી કરે છે તો પ્રતિ છોડ 120 રૂપિયા સરકાર તરફથી આપવામાં આવશે.
મોદી સરકાર પહેલા જ વાંસને વૃક્ષની કેટેગરીમાંથી હટાવી દીધું છે. વાંસની 136 પ્રજાતિઓ છે અને સરકારી નર્સરીમાંથી છોડ મફતમાં મળશે. વાંસનો ઉપયોગ કયા કામ માટે કરવાનો છે તેને ધ્યાનમાં લઈને પ્રજાતિનો છોડ વાવવામાં આવે છે.
નોંધનીય છે કે વાંસની ખેતી સામાન્યપણે ચાર વર્ષ માટે હોય છે અને ખાસ વાત એ છે કે બે વાંસની વચ્ચે જે જગ્યા હોય ત્યાં બીજી ખેતી પણ કરી શકે છે. માનવામાં આવે છે કે વાંસની પર્યાવરણની રક્ષા કરી શકાય છે કારણ કે વાંસ વધુ હશે તો ફર્નિચર માટે વૃક્ષો ઓછા કપાશે.
ત્રણ વર્ષમાં પ્રતિ પ્લાંટનો ખર્ચ 240 રૂપિયાનો આવતો હોવાનું અનુમાન છે જેમાં 120 રૂપિયા સરકાર તરફથી આપવામાં આવશે. જે તે જિલ્લાના નોડલ અધિકારી આ મુદ્દે સંપૂર્ણ જાણકારી મેળવી શકાય છે.
વાંસની ખેતીમાં બીજી ખાસ વાત એ છે કે તેમાં વારંવાર વાવણી કરવી પડતી નથી, વાંસનો એક છોડ 40 વર્ષ સુધી ચાલે છે. એક હેક્ટરમાં 1500 પ્લાન્ટ લગાવી શકાય છે અને સાથે સાથે બીજી ખેતી પણ કરી શકાય છે.