ગોધરાના નુરાપુરામાં ઇંટ ભઠ્ઠાના માલિકે ગેરકાયદેસર રીતે ખેડૂતોની જમીનો પચાવી પાડી તેમજ ગૌચરમાં ખોટી રીતે કોઈ પણ મંજૂરી વગર બાંધકામ કરવા સહિતના આક્ષેપો સાથે ખેડૂતોનો હલ્લાબોલ
ગોધરાના નુરાપુરામાં ખેડૂતોનો હલ્લાબોલ
ઈંટ ભઠ્ઠા માલિક સામે ગ્રામજનો પર રાતા-ચોળ
સરકાર તરફથી કોઈ જવાબ કે કાર્યવાહી નહિ
ગોધરાના નુરાપુરા ગામ ખાતે ગ્રામજનો અને ખેડૂતોએ ભારે હલ્લાબોલ કર્યો હતો. ગામમાં આવેલ ઇંટ ભઠ્ઠાના માલિકે ગેરકાયદેસર રીતે ખેડૂતોની જમીનો પચાવી પાડી તેમજ ગૌચરમાં ખોટી રીતે કોઈ પણ મંજૂરી વગર બાંધકામ કરવા સહિતના આક્ષેપો સાથે ગ્રામજનો અને ખેડૂતોએ ભઠ્ઠા પર હલ્લો બોલાવ્યો હતો.
'પાડાના વાંકે પખાલીને ડામ'જેવી સ્થિતિ
પંચમહાલના ગોધરા તાલુકાના નૂરપુરા ગામ ખાતે આવેલ આરબી બ્રિક્સ નામના ઈંટ ઉત્પાદન કરતા ભઠ્ઠા માલિકના ત્રાસ અને અન્યાયથી ત્રસ્ત થઈ હલ્લાબોલ કર્યો હતો નૂરપુરા ગામના ગ્રામજનોએ એકત્રિત થઈ આક્રોશ સાથે ભઠ્ઠાના સંચાલકો સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. એકત્રિત થયેલ જમીન માલિકો અને ખેડૂતોના આક્ષેપો હતા કે, ભઠ્ઠા માલિક દ્વારા વર્ષો જૂનો જે કાયદેસરનો રસ્તો હતો તેમાં અવરોધ કરી ગેટ નું બાંધકામ કરી ખેડૂતો ને પોતાના ખેતર માં અવર જવર માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે જ હાલ જે જગ્યા પર ભઠ્ઠો છે તેના એક ખાતેદાર દ્વારા પણ આક્ષેપ કરવા માં આવ્યા છે કે તેમની જમીનમાં ખોટી રીતે એન્ટ્રી પડાવી ભઠ્ઠાનો માલિક જગદીશ કટિયા ખોટી રીતે ખેડૂત બની ગયો હતો જે અંગે જગદીશ કટિયા કાયદેસરની કાર્યવાહી બાદ ખોટો ખેડૂત સાબિત થતા હાલ જે સ્થળે ભઠ્ઠો આવેલો છે તે સહિત તેની માલિકીની અનેક જમીન સરકાર હસ્તક થઈ ગઈ હતી જેની ખોટી રીતે સીધી અસર અન્ય ખેડૂત ખાતેદારોને પણ થઈ હતી.અન્ય ખેડૂતોએ પોતાની જમીન વેચાણ કે ગીરો આપેલ ન હોવા છતાં તેમની જમીન પણ ખોટી રીતે સરકાર હસ્તક એટલે કે શ્રી સરકાર થઈ ગઈ છે જે બાબતે ખેડૂતો એ વિરોધ નોંધાવ્યો હતો
ગેરકાયદે બાંધકામની ફરિયાદ,કોઈ જવાબ નહિ
નૂરપુરાના ગ્રામજનો અને ખેડૂતોના આક્ષેપો છે કે ભઠ્ઠા માલિક જગદીશ તુલસી દાસ કટિયા દ્વારા સરકાર હસ્ત થયેલ જમીન અને ગૌચર જમીનમા ખોટી રીતે બાંધકામ કરી ઈંટોનું ઉત્પાદન કરવામાં આવે છે જે તદ્દન ગેરકાયદેસર છે.જગદીશ કટિયા એ જંગલ અને નદી કાંઠે પણ ચેકડેમ જેવી જગ્યાઓ એ પણ ખોટું અપ્રમાણસર દબાણ કરેલ છે જે તમામ બાબતો એ જિલ્લા કલેક્ટરને લેખિતમાં જાણ કરેલ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી
જોકે ભઠ્ઠા માલિકનો સંપર્ક કરવા માં આવ્યો તો તેમણે કઈ પણ બોલવાનો ઇનકાર કર્યો છે. બીજી તરફ સ્થાનિકો એ અનેક વાર રજૂઆત કરી પરંતુ સરકારી તંત્ર દ્વારા કોઈ પણ ખેડુત ને મદદ કરવામાં આવી નથી ત્યારે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા ખેડૂતો ને ક્યારે ન્યાય મળશે.?