મોદી સરકારે ખેડૂતો માટે ઘણી યોજનાઓની જાહેરાત કરી છે. આ યોજનાઓમાં ખેડૂતોને સાવ ઓછાં ખર્ચે સારો લાભ મળે છે. જેમાંની એક છે પ્રધાનમંત્રી માનધન યોજના. ચાલો જાણીએ.
ખેડૂતો માટે સારાં સમાચાર
હવે ખેડૂતોને દર મહિને પેન્શનનો લાભ મળશે
આ સ્કીમ માટે ખેડૂતોએ કરવું પડશે આ કામ
કેન્દ્ર સરકાર દ્વારા આ પેન્શન યોજના દેશના ખેડૂતો માટે ચલાવવામાં આવી રહી છે. આમાં 60 વર્ષની ઉંમર પછી ખેડૂતોને દર મહિને 3000 રૂપિયાની સુવિધા આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ખેડૂત જેટલું પ્રીમિયમ ચૂકવશે તેટલી જ રકમ સરકાર પણ આપશે. તેનું લઘુતમ પ્રીમિયમ 55 રૂપિયા અને મહત્તમ 200 રૂપિયા છે. જો કોઈ વ્યક્તિ પોલિસી છોડવા માંગે છે તો તે ખેડૂતને જમા રકમ અને વ્યાજ મળશે. જો ખેડૂતનું મૃત્યુ થઈ જાય તો તેની પત્નીને દર મહિને 1500 રૂપિયા મળશે.
તમે પૈસા ચૂકવ્યા વગર પણ યોજનાનો લાભ લઈ શકો છો
જો કોઈ ખેડૂત પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યો છે તો તેની પાસેથી કોઈ દસ્તાવેજ લેવામાં આવશે નહીં. આ યોજના હેઠળ ખેડૂતો પીએમ કિસાન યોજનામાંથી મળતા લાભોમાંથી સીધા યોગદાન આપવાનું પસંદ કરી શકે છે. આ રીતે તેણે પોતાના ખિસ્સામાંથી સીધા પૈસા ખર્ચવા પડશે નહીં.
આ યોજનાનો લાભ કોણ લઇ શકે છે
કિસાન માનધન યોજનાનો લાભ 18થી 40 વર્ષનો કોઈપણ ખેડૂત લઈ શકે છે.
આ માટે તેની પાસે મહત્તમ 2 હેક્ટર સુધી ખેતીલાયક જમીન હોવી જોઈએ.
તમારે ખેડૂતની ઉંમરના આધારે ઓછામાં ઓછા 20 વર્ષ અને મહત્તમ 40 વર્ષ સુધી 55 રૂપિયાથી 200 રૂપિયા સુધી માસિક યોગદાન આપવું પડશે.
જો 18 વર્ષની ઉંમરે જોડાય તો માસિક યોગદાન દર મહિને 55 રૂપિયા થશે.
જો 30 વર્ષની ઉંમરે આ સ્કીમમાં જોડાય તો 110 રૂપિયા જમા કરાવવાના રહેશે.
જો તમે 40 વર્ષની ઉંમરે જોડાઓ છો તો તમારે દર મહિને 200 રૂપિયા જમા કરાવવાના રહેશે.
કેસીસીનો પણ ફાયદો મળી શકે છે
મોદી સરકારની આ યોજનાનો લાભ એ તમામ ખેડૂતોને મળી શકે છે જે પીએમ કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યાં છે. કેન્દ્ર સરકાર પીએમ કિસાનના લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ અને પીએમ કિસાન માનધન યોજનાનો લાભ પણ આપી રહી છે.