ગાંધીનગર, મહેસાણા અને પાટણ જિલ્લાના ગામડાઓને ચીરીને નીકળતા ભારતમાલા પ્રોજેક્ટ અતંગર્ત બનનાર એક્સપ્રેસ હાઈવેનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે
કેન્દ્ર સરકારના ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ
ગાંધીનગર, મહેસાણા, પાટણ જિલ્લામાં જોવા મળ્યો વિરોધ
સાંચોર અમદાવાદ હાઇવે અંતર્ગત જમીન સંપાદન
ગ્રીન બેલ્ટથી હાઇવે ન નીકળે તે માટે ખેડૂતોનો વિરોધ
કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.જેના થકી વિવિધ હાઇવેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત થકી સાંચોરથી અમદાવાદ સુધી હાઇવેનું નિર્માણ કાર્ય કરવામાં આવનાર છે. હાલ હાઇવે ના નિર્માણ કાર્ય માટે ખેડૂતોની જમીન સંપાદિત કરવા માટે કાર્યવાહી કરવામાં આવનાર છે.
આ જમીન સંપાદનનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે
જો કે, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને પાટણ જિલ્લાના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતો જમીન વિહોણા થતાં હોવાથી તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ખેડૂતોની સમગ્ર મામલે એક બેઠક મળી હતી. જેમાં આ અંગેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ સમગ્ર દેશમાં માર્ગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
ત્રણ જિલ્લાના 46 ગામોના ખેડૂતોમાં સૂચર હાઈવેની કામગીરીમાં ભારે રોષ
આમ ગાંધીનગર, મહેસાણા, પાટણ જિલ્લાના કુલ 46 ગામના ખેડૂતોને આ રોડથી અસર થવાની હોવાને પગલે હાલની સ્થિતિ રોષ જોવા મળ્યો છે. જો કે, આ પુર્વે ખેડૂતોને ઉપકરોક્ત પ્રોજેક્ટ અન્યત્ર ખસેડવામાં આવે તે માટે સરકારમાં ઉચ્ચકક્ષાએ રજુઆત કરવાનો નિર્ણય કર્યો છે. રજુઆત બાદ જો કોઈ પરિણામ નહી આવે તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે