રાજ્યમાં ખેડૂતોને પાકના યોગ્ય ભાવ ન મળતા હોવાનો ખેડૂતો દ્વારા અવાર નવાર આક્ષેપ કરવામાં આવે છે. ત્યારે ફરી એકવાર જૂનાગઢના કરિયા ગામના ખેડૂતોએ લસણ અને ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
જેને લઈને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ લસણ અને ડુંગળીના ખેતરમાં પશુઓને ચરવા માટે મૂકી દીધા હતા. આમ રોષે ભરાયેલા ખેડૂતોએ લસણ અને ડુંગળીનો પાક પશુઓને ખવડાવીને વિરોધ કર્યો હતો. મહત્વનું છે કે ખેડૂતોને પાકના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો માટે પડતા પર પાટુ જેવો હાલ થયો છે.
એક બાજુ રાજ્ય અને કેન્દ્રની સરકારો ખેડૂતોને સહાયની જાહેરાત કરી રહી છે. અને ખેડૂતોને આવક બમણી કરવાની વાતો કરી રહી છે. ત્યારે જૂનાગઢના કારિયા ગામના ખેડૂતોને લસણ અને ડૂંગળીએ રોવડાવ્યા છે.