પાટણ જિલ્લાને બે દિવસ પહેલા કમોસમી વરસાદે બાનમાં લીધો હતો જેના કારણે શિયાળું પાકને નુકસાન જતા ખેડૂતોને સહાયની માંગ કરી છે..
પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ
નુકસાનીના સર્વેનો આદેશ થશે તો થશે
માવઠાને કારણે ખેડૂતોના પાકને નુકસાન
પાટણ જિલ્લાને બે દિવસ પહેલા કમોસમી વરસાદે બાનમાં લીધો હતો જેના કારણે શિયાળું પાકને નુકસાન જતા ખેડૂતોને સહાયની માંગ કરી છે.. પાટણના રાધનપુર સાંતલપુર સરસ્વતી તાલુકામાં એક ઇંચથી લઈ અઢી ઇંચ જેટલો કમોસમી વરસાદ ખાબક્યો હતો જેની સૌથી વધુ ખરાબ અસર શિયાળુ પાક ઉપર થવા પામી હતી.
નુકસાનીના સર્વેનો આદેશ થશે તો થશે
કમોસમી વરસાદ અને માવઠાના મારને કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે ખૂદ જિલ્લા ખેતીવાડીના અધિકારી પણ કબૂલી રહ્યા છે કે જિલ્લામાં 59 હજાર 131 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું જેમાં કમોસમી વરસાદને કારણે જુવાર, જીરુ,રાઈ જેવા પાકોમાં તેની ગુણવત્તા ઉપર અસર જોવા મળી છે..વધુમાં ખેતી નિયામકના કહ્યું અનુસાર આ કમોસમી માવઠાથી ઉત્પાદન ઉપર કોઇ અસર થવા પામી નથી પરંતુ પાકની ગુણવત્તા ઉપર અસર થવાને કારણે કમોસમી વરસાદથી ૭ થી ૮ ટકા જેટલું નુકસાન થયુ હોવાનું ખૂદ ખેતી નિયામક કબૂલી રહ્યાં છે ત્યારે રાજ્ય સરકાર સર્વે કરી ખેડૂતોને ન્યાય આપે તેવી માંગ ઉઠી રહી છે..
માવઠાને કારણે ખેડૂતોના પાકને નુકસાન
સમગ્ર મામલે જિલ્લા ખેતી નિયામક દ્વારા જણાવાયું છે કે રાજ્ય કક્ષાએથી નુકસાનીનો સર્વે કરવાનો કોઈ આદેશ હાલ આપવામાં આવ્યો નથી જો નુક્સાનીનો સર્વે કરવાનો આદેશ આપવામાં આવશે તો જિલ્લામાં નુકસાનીનો સર્વે કરવામાં આવશે તેવું જિલ્લા ખેતી નિયામક એસ એસ પટેલ જણાણી રહ્યા છે..તેમના નિવેદન પરથી લાગી રહ્યું છે કે હાલ ગુજરાત સરકારને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનની સહાય આપવાની કોઈ જ તૈયારી નથી..