સરકાર તરફથી બેઠક પછી પણ 6 દિવસથી ચાલી રહેલ ખેડૂત આંદોલન પુરુ થઇ રહ્યું હોય તેવું દેખાય રહ્યું નથી. એક બાજુ પંજાબના ખેલ જગતના નામી ખેલાડીઓ ખેડૂતોના સમર્થનમાં આવ્યાં છે જ્યારે બીજી તરફ પંજાબ અને હરિયાણાથી ખેડૂત દિલ્હી આવવાની તૈયારી કરી રહ્યાં છે.
કૃષિ બીલના વિરોધમાં ખેડૂતોની દિલ્લી કૂચ
આજે ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા
દિલ્લી કૂચ મામલે ખેડૂતોની તૈયારીઓ
દિલ્હી રોડ પર વિરોધ પ્રદર્શનકારી ખેડૂતોની સંખ્યામાં વધારો થશે, જેના કારણે દિલ્હીવાસીઓની મુશ્કેલીમાં વધારો થાય તેવી શક્યતા છે.
આમ કૃષિ બિલનો વિરોધ કરી રેલી ખેડૂતોની દિલ્હી કુચના કારણે આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. દિલ્હી કૂચ મામલે આજે ટ્રેકટર લઇ ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે. ખેડૂતોએ દવા, રાશન સહિતનો સામાન ભેગો કર્યો છે. સરકાર દ્વારા માંગણીઓનો સ્વીકાર કરવામાં ન આવે ત્યાં સુધી લડી લેવાના મૂડમાં ખેડૂતો જોવા મળી રહ્યાં છે.
3 કલાકની બેઠક બાદ કોઇ નિર્ણય નહીં, આંદોલન યથાવત રહેશે
આશરે 3 કલાકની ખેડૂતો અને સરકારના પ્રતિનિધીઓની મીટિંગ બાદ કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નહોતો અને ખેડૂતના નેતાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આંદોલન ચાલુ રહેશે અને આગામી ગુરુવારના રોજ સરકાર સાથે ફરી એકવાર બેઠક યોજાશે. તો કેન્દ્રિય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે તો ખેડૂત ભાઇઓને આંદોલન સમેટી લેવા માટે અપીલ કરી રહ્યા છીએ. અમે તમામ મુદ્દે વાતચીત કરવા માટે તૈયાર છીએ.
Our movement against Farm Laws will continue & we'll definitely take back something from the Govt, be it bullets or a peaceful solution. We'll come back for more discussions with them: Chanda Singh, Member of Farmers' Delegation who met Union Agriculture Minister in Delhi today pic.twitter.com/YgenF7koXN
સૂત્રોના જણાવ્યા મુજબ ખેડૂત સંગઠનના પ્રતિનિધિએ કહ્યું હતું કે તમે એવો કાયદો લાવ્યો છે કે અમારી જમીનો મોટા કોર્પોરેટ લઇ લેશે, તેમાં કોર્પોરેટને ન લાવો. હવે સમિતિ રચવાનો સમય નથી. તમે કહો છો કે તમે ખેડૂતોનું ભલું કરવા માંગો છો, અમે કહી રહ્યા છીએ કે તમે અમારું ભલું ન કરો. પરંતુ આ કાયદો હટાવી દો
સમિતિ બનાવાની સરકારે કરી વાત
સરકારે ખેડુતોના નેતાઓને નવા કૃષિ કાયદા અંગે ચર્ચા કરવા અને તમારી સમિતિના 4-5 લોકોના નામ જણાવવા અને એક સમિતિની રચના કરવા કહ્યું જેમાં સરકાર અને કૃષિ નિષ્ણાતોના પ્રતિનિધિઓ પણ હશે. જોકે ખેડૂતોએ સમિતિ બનાવવાનો પ્રસ્તાવ ફગાવ્યો હતો અને કૃષિ કાયદો પરત લેવા પર ભાર આપ્યો હતો.
સરકાર ચોક્કસ સમાધાન લાવશે
સરકારે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ આંદોલન કરતા ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવેલ મુદ્દે વિચાર વિમર્શ કરશે અને કોઇ ચોક્કસ ઉકેલ લાવશે
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ખેડૂત આંદોલન અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કૃષિ કાયદો ગેરબંધારણીય છે. સરકાર ખેડૂતોને કેમ સતાવી રહી છે? ભાજપ દેશ તરફ નજર નથી કરી રહ્યો. મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપ સિવાય અન્ય કોઈ રાજકીય પક્ષે આ ખરડાને ટેકો આપ્યો નથી.
થોડું મોડું થયું : CM અશોક ગેહલોત
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે કેન્દ્ર દ્વારા ખેડૂત સંઘોને વાટાઘાટો માટે આમંત્રણ આપવું એ યોગ્ય દિશામાં એક પગલું છે, પરંતુ તે મોડું થયું છે. ચિંતા માત્ર દેશમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ વધી રહી છે.
ખેડૂત આંદોલનમાં ભાગ લેવા પહોંચેલા દાદી બિલકીસ બાનોએ જણાવ્યું હતું કે, હું પણ ખેડૂત પુત્રી છું અને ખેડૂત આંદોલનમાં જોડાઇશ અને સરકારે અમારી વાત સ્વીકારવી પડશે