દિલ્હી બોર્ડર પર કૃષિ કાયદાને લઈને ખેડૂત આંદોલન ઉગ્ર થઈ રહ્યું છે ત્યારે આજે સાતમી બેઠક બાદ બંને પક્ષે તણાવ ઓછો થયો હોય તેમ દેખાયો હતો. કૃષિમંત્રીએ બેઠક બાદ કહ્યું હતું કે આજની મીટિંગ સારી રહી અને ખેડૂતોના 4 મહત્વની માંગ હતી તેના પર 2 પર સહમતિ થઈ ગઈ છે. ત્યારે સામે બાજુ ખેડૂતોએ પણ ટ્રેક્ટર માર્ચ રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો.
ખેડૂત આંદોલન વચ્ચે આજે ખેડૂતો અને સરકારની સાતમી વખત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 40 ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જો કે, 5 કલાકથી વધુ સમયગાળો ચાલેલી આ બેઠક બાદ 2 મુખ્ય માંગો સરકારે માની લીધી છે તેવું કૃષિમંત્રીએ જણાવ્યું હતું. જો કે હવે આગામી બેઠક 4 જાન્યુઆરીએ યોજાશે તેવું પણ નક્કી થયું હતું.
ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ રદ્દ કરી
મહત્વનું છે કે સરકાર સાથેની બેઠક બાદ ખેડૂતોએ આવતીકાલે ટ્રેક્ટર માર્ચ યોજવાનો નિર્ણય રદ્દ કર્યો હતો. ખેડૂતોએ કહ્યું હવે હાલ શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલુ રહેશે. ત્યારે કહી શકાય કે સાતમા તબક્કાની બેઠક મહદ્ અંશે બંને પક્ષો માટે સફળ રહી છે અને સરકાર માટે રાહતના સમાચાર આવ્યાં છે.
કૃષિમંત્રીએ કહ્યું, આજની બેઠકમાં ખેડૂતોના 50 ટકા મુદ્દાઓનો આવી ગયો છે ઉકેલ
ખેડૂતો સાથેની બેઠક બાદ કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે, ખેડૂતોએ 4 પ્રસ્તાવ રજૂ કર્યા હતા. જેમાં 2 મુદ્દે સહમતિ સાધવામાં આવી છે. પર્યાવરણ સંબંધી અધ્યાદેશ પર સંમતિ મળી છે. તો એમએસપી પર કાયદાને લઇને ચર્ચા યથાવત છે. અમે એમએસપી મુદ્દે લેખિત આશ્વાસન આપવામાં માટે તૈયાર છીએ કે, એમએસપી યથાવત રહેશે. વીજ બિલ મુદ્દે પણ સહમતિ શાધવામાં આવી છે.
આ 2 મુદ્દાઓ પર સહમતી થઈ
1. સરકાર ખેડૂતોની બે મુખ્ય માંગણીઓ માટે સંમત થયાં છે, Electricity 2020 બિલ સરકાર લાવશે નહીં. ખેડુતોને સરકાર સાથેની બેઠકમાં વિશ્વાસ છે.
2. સરકારનો ખેડુતોનો વિશ્વાસ- દિલ્હી-NCRનું વાતાવરણ સ્વચ્છ રાખવા માટે વટહુકમમાં ખેડુતોને બાકાત રાખવામાં આવશે, જેમાં ખેડુતોને પથ્થર સળગાવવા બદલ 1 કરોડ સુધીનો દંડ કરાયો હતો.