સરકારે પરાળ સળગાવવાને લીધે વધી રહેલા પ્રદૂષણને અટકાવવા માટે નવો નિયમ બનાવ્યો છે. જેમાં પરાળ સળગાવવા પર ખેડૂતો પાસેથી 15000 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે.
પરાળ સળગાવવા પર હવે પ્રતિબંધ
NGTએ જાહેર કર્યાં દંડનાં આદેશો
2500થી 15000 રૂપિયા સુધીનો થઈ શકે છે દંડ
ખેડૂતોને પરાળ ન સળગાવવા અપાયા કડક આદેશ
હવે ખેડૂતોને ખેતરમાં પરાળ સળગાવવું ભારે પડી શકે છે. કારણ કે સરકારે પરાળ સળગાવવાને લીધે વધી રહેલા પ્રદૂષણને અટકાવવા માટે નવો નિયમ બનાવ્યો છે. જેમાં પરાળ સળગાવવા પર ખેડૂતોને 15 હજાર રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડશે. કેન્દ્ર સરકારે ખેડૂતો દ્વારા પરાળ સળગાવવાની પ્રત્યેક ઘટના માટે 2500 રૂપિયાથી લઈને 15000 રૂપિયા સુધીનાં દંડની ઘોષણા કરી છે.
NGT દ્વારા જાહેર કરવામાં આવ્યાં આદેશો
નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ NGT દ્વારા અનેક ક્ષેત્રોમાં પરાળ સળગાવવાનાં મામલામાં આપવામાં આવેલા આદેશો અનુસાર NCR અને આસપાસનાં ક્ષેત્રોમાં એર ક્વોલિટી મેનેજમેન્ટ માટે નવા આયોગ CAQM નિયમ 2023 નક્કી કરે છે કે 2 એકરથી ઓછી જમીનવાળા ખેડૂતોને 2500 રૂપિયાનું દંડ ચૂકવવું પડશે જો કે આ દંડ 5000 રૂપિયા સુધી પણ જઈ શકે છે.
આ રાજ્યોમાં હવે આ નિયમ ફરજિયાત
નિયમાનુસાર પાંચ એકરથી વધારેની જમીન માટે 15000 રૂપિયાનાં પર્યાવરણને દૂષિત કરવા માટે દંડ લેવામાં આવી શકે છે. ઉત્તરપ્રદેશ, પંજાબટ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીની સરકાર હવે આ નિયમાનુસાર દંડ વસૂલવા માટે કાયદાકીય ધોરણે બંધાયેલી છે. જો કે નિયમોએ પરાળ સળગાવવા માટે કોઈપણ ગુનાહિત કાર્યવાહી 2020માં 1 કરોડ રૂપિયા સુધીનાં ભારે દંડની સ્પષ્ટ કરી હતી જેમાં સ્પષ્ટતા હવે કરી દેવામાં આવી છે.
10 એકરથી વધારે જમીન માટે વધુ દંડ
NGT નાં એક અધિકારીએ જણાવ્યું કે મોટો મુદો ગુનાહિત કાર્યવાહીનો હતો અને તેને 2021નાં CAQM અધિનિયમમાં દૂર કરી દેવામાં આવ્યું હતું જો કે અધિનિયમમાં સરકાર દ્વારા નિર્ધારિત દંડ લાદવાની જોગવાઈ કરવામાં આવી હતી . NGT આ નિયમોને ધ્યાનમાં રાખીને 10 એકરથી વધારે જમીન માટે 25000થી 5000 રૂપિયા, 7500 અને 15000 રૂપિયાનું દંડ નક્કી કર્યું છે.