28 ઓગસ્ટે ખેડૂતો પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં હરિયાણાના કરનાલમાં જિલ્લા મુખ્યાલય સુધી પ્રદર્શન માટે ખેડૂતો અનાજ મંડીમાં ભેગા થયા.
ખેડૂતો પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં કરનાલમાં મહાપંચાયત
મંત્રણા નિષ્ફળ રહેતા ખેડૂતોએ સચિવાલયની ઘેરાબંધી કરી
ખેડૂતોને વિખેરવા પોલીસ પાણીનો મારો ચલાવ્યો
કરનાલમાં ખેડૂતોની શાંતિપૂર્ણ માર્ચ ઉગ્ર બની
આંદોલનકારી ખેડૂતોને વિખેરવા માટે પોલીસ તેમને પર પાણીનો મારો ચલાવ્યો. કરનાલમાં ખેડૂતોની શાંતિપૂર્ણ માર્ચ હવે ઉગ્ર બની છે. પ્રશાસન સાથેની મંત્રણા નિષ્ફળ રહ્યાં બાદ સચિવાલયને ઘેરવા નીકળેલા ખેડૂતો પર પાણીનો મારો ચલાવાયો હતો. આને કારણે કરનાલની સ્થિતિ તણાવગ્રસ્ત બની હતી. પ્રદર્શનકારી ખેડૂઓ સચિવાલયમાં ઘુસવાનો પણ પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળે છે.
मुजफ्फरनगर से करनाल, वाटर कैनन के बौछार से हरियाणा सरकार किसानों की आवाज को दबा नहीं सकती ।#लड़ेगे_जीतेगे#Karnal
વહિવટી તંત્ર સાથેની મંત્રણા નિષ્ફળ જતા દેખાવકાર ખેડૂતોએ કરનાલ મિનિ સચિવાલય તરફ આગેકૂચ કરી
વહિવટી તંત્ર સાથેની મંત્રણા નિષ્ફળ જતા દેખાવકાર ખેડૂતોએ કરનાલ મિનિ સચિવાલય તરફ આગેકૂચ કરી હતી. દેખાવકારોએ અનિશ્ચિત કાળ સુધી સચિવાલયને ઘેરાબંધી કરતા હરિયાણા સરકાર એક્શન મોડમાં આવી છે.
રાજ્ય સરકારે 5 જિલ્લામાં તમામ મોબાઈલ કંપનીઓના ઈન્ટરનેટ અને બલ્ક એસએમએસ સેવાઓ બંધી કરી દીધી છે. જે જિલ્લાઓમાં સેવાઓ બંધ કરાઈ છે તેમાં કરનાલની ઉપરાંત, કુરુક્ષેત્ર, કૈથલ, પાણીપત અને જિંદ સામેલ છે.
કરનાલમાં કેન્દ્રીય અર્ધસૈનિક બળોની 10 કંપનીઓ સહિત સુરક્ષા દળોની 40 કંપનીઓને પણ તહેનાત કરી દેવાઈ છે.
ભારતીય કિસાન સંઘના મહાસચિવ બદ્રીનારાયણ ચોધરીએ જણાવ્યું કે તમામ ખેડૂતોને એક સમાન લાભદાયક ભાવની માગણીએ 8 સપ્ટેમ્બરે દેશના તમામ જિલ્લામાં પ્રદર્શન કરવામાં આવશે. સરકારે ખેડૂત આંદોલન પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરવો જોઈએ. તેમણે કહ્યું કે પાક ઉગાડવામાં ખેડૂતોને જે ખર્ચ આવે છે તેને જાળવી રાખવા જોઈએ. સરકારે ખેડૂતોને એવા ભાવ આપવા જોઈએ કે જેનાથી તેને લાભ થાય અથવા તો અમને જણાવે કે અમારી માગ શા માટે ખોટી છે.