2016માં મોદી સરકાર દ્વારા કરવામાં આવેલ નોટબંધીના નિર્ણયની દેશભરમાં સતત ચર્ચા હાલમાં પણ કરવામાં આવે છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત સમગ્ર વિપક્ષ નોટબંધીના નિર્ણય પર મોદી સરકારને આડે હાથ લેતું આવ્યું છે.પરંતુ કેન્દ્ર સરકારના જ કૃષિ મંત્રાલયે પોતાના એક રિપોર્ટમાં કહ્યું કે ખેડૂતો પર નોટબંધીના નિર્ણયની ખરાબ અસર પડી છે.
આ નિવેદનથી વિપક્ષને ફરી એકવાર સરકાર વિરુદ્ધ મુદ્દો મળી શકે છે. નાણા મંત્રાલય સાથે જોડાયેલી સંસદની સ્થાયી સમિતિની બેઠકમાં કૃષિ મંત્રાલયે માન્યું કે રોકડની અછતના કારણે લાખો ખેડૂતો રવિ સિઝનમાં વાવણી માટે બિયારણ અને ખાતર ન ખરીદી શક્યા.
જેથી ખેડૂતો પર માઠી અસર પડી હતી.કૃષિ મંત્રાલયે જણાવ્યું કે ખેડૂત નોટબંધી સમયે કાંતો ખેત પેદાશ વેચી રહ્યા હતા.તો કેટલાક ખેડૂતો રવિ પાકની વાવણી માટે બિયારણ અને ખાતર ખરીદી રહ્યા હતા.
તે સમયે કેશની અછતના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આ મામલે કૃષિ મંત્રાલયે એક રિપોર્ટ પણ સોંપ્યો છે.જો કે કૃષિ મંત્રાલયના આ પ્રકારના નિવેદન બાદ વિપક્ષને નવો મુદ્દો મળી ગયો છે.