ગીર સોમનાથમાં તૌકતે વાવાઝોડાએ કહેર વરસાવ્યો જેને આજદિન સુધી 4 મહિનાથી વધુ સમય વીતી ગયો છે છતા વાવાઝોડામાં અસરગ્રસ્તો ખેડૂતોને કોઈ સહાય નથી મળી
તૌકતેની તારાજીની સહાય નહીં
હજુ સુધી ખેડૂતોને નથી મળી સહાય
નવી સરકાર પાસે ધરતીપુત્રોની માગ
ગીર સોમનાથમાં તૌકતે વાવાઝોડાએ કહેર વરસાવ્યો જેને આજદિન સુધી 4 મહિનાથી વધુ સમય વીતી ગયો છે છતા વાવાઝોડામાં અસરગ્રસ્તોને કોઈ સહાય ન મળતા અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સરકાર સામે સહાયની માંગ કરવામા આવી રહી છે
તૌકતે વાવાઝોમાં સૌથી વધુ નુકસાન ખેડૂતો અને વીજ વિભાગને થયું હતું જે બાદ વાવાઝોડાની ભયનક સ્થિતિ અને અસરને પગલે રાજ્ય સરકાર ત્વરિત અસરગ્રસ્તોનો સર્વેની કામગીરી કરી આર્થિક સહાય આપવામાં માટેની જાહેરાત કરી હતી જોકે આજદિન સુધી ખેડૂતોને સહાયની રકમ ન મળતા ખેડૂતોને ચિંતિત બન્યા છે અને હવે નવી સરકાર પાસે આસ લગાવીને બેઠા છે
હજુ સુધી ખેડૂતોને નથી મળી સહાય
ખેડૂતોને લાગી રહ્યું છે કે સહાયની વાત માત્ર કાગળ પર જ કરવામાં આવે છે અને સહાયના નામે માત્ર ઠાલા વચનો જ આપવામાં આવે છે ખેડૂતોને હજુ સુધી કોઈ સહાય ન મળતા ખેડૂતોને હાલાકી ભોગવી રહ્યા છે ગીર સોમનાથ, ઉના, ગીર ગઢડા સહિત કોડિનારમાં પણ વાવાઝોડાએ કહેર વર્તાવ્યો હતો તૌકતે વાવાઝોડાના 4 મહિનાથી વધુ સમય વીતી ચુક્યો ગયો હોવા છતા સહાય કોઈ રકમ ન મળતા હવે ખેડૂતો નવી સરકાર પાસે આજીજી કરી રહ્યા છે ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતા સહાય ખાતામાં જમા થતી નથી.
નવી સરકાર પાસે ધરતીપુત્રોની માગ
મહત્વનું છે દર વખેત ખેડૂતોને જ કુદરત સામે ઝુકવું પડતું હોય છે ત્યારે પોષણસમ ભાવ નથી મળતા તો ક્યારે અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જાય છે તો ક્યારે તૌકતે જેવા વાવાઝોડાને કારણે ખેડૂતોનો મહામહેનતે તૈયાર કરેલા પાક પણ એડે જાય છે, ગુજરાતમાં ખેડૂતોના પાક માટે સિંચાઈની પુરતી સુવિધાનો ન હોવાથી પાકને બચાવવા પાણી માટે વલખા મારવા મજબૂર બનવુ પડતું હોય છે ત્યારે તૌકતે વાવાઝોડામાં અસરગ્રસ્તોને હજુ સુધી કોઈ સહાય ન મળતા ખેડૂતો નવી સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.