સુરતમાં કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. બીજી તરફ સહકારી મંડળીઓ તેમનો પાક ટેકાનાં ભાવ કરતાં પણ નીચી કિંમતે વેચી રહી છે. જેને પગલે ખેડૂતોને પડયાં પર પાટું મારવા જેવી સ્થિતિ ઉભી થઈ છે.
સરકારના ટેકાના ભાવથી નીચા ભાવે ડાંગરનું વેચાણ
20 થી 22 રૂપિયા ઓછા ભાવે ડાંગરનું વેચાણ
ખેડૂતોની જાણ બહાર ચાલી રહ્યો છે વેપલો
ખેડૂતોની જાણ બહાર ચાલી રહ્યો છે વેપલો
સુરતમાં કમોસમી વરસાદને કારણે લાચાર બનેલાં ખેડૂતોની હાલત સુધારવાની જગ્યાએ તંત્ર તેને વધારે હેરાન કરી રહી હોય એવું લાગે છે. લાલચુ લંપટ લોકો ખેડૂતોની સ્થિતિનો વિચાર કર્યા વગર પોતાનો સ્વાર્થ સાધી રહ્યાં હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. વાત એમ છે કે સુરતના ખેડૂતોના ડાંગરનાં પાકનું વેચાણ ટેકાનાં ભાવ કરતાં ઓછા ભાવે થઈ રહ્યું છે. ખેડૂતોની જાણ બહાર વેપલો ચાલી રહ્યો છે.
20 થી 22 રૂપિયા ઓછા ભાવે ડાંગરનું વેચાણ
ખેડૂતોને ડાંગરના પાકમાં પુરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે. સહકારી મંડળીઓએ ડાંગરનુ વેંચાણ શરૂ કર્યુ છે. પરંતુ સરકારના ટેકાનાં ભાવથી નીચા ભાવે ડાંગરનું વેચાણ થતું હોવાનો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે. સરકારે રૂ 365 ટેકાનો ભાવ જાહેર કર્યો હતો,પરંતુ હાલ 20થી 22 રૂપિયા ઓછા ભાવે ડાંગરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
મંડળીઓ વેપારીઓને ઓછા ભાવે પાક વચે છે
મંડળીઓ વેપારીઓને ઓછા ભાવે પાક વેચતી હોવાનો આક્ષેપ લાગ્યો છે. જહાંગીર પુરા , સોસક, તલાડ, પાલમાં ઓછું વેચાણ કરવામાં આવી રહ્યું છે. એક તરફ વાવાઝોડાનાં કારણે ખેડૂતોને નુકસાન થયું છે. બીજી તરફ મંડળીઓનાં કારણે માઠું મોટુ નુંકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ભાવને લઈને ખેડુતોમાં રોષ તેઓ પોલીસ ફરિયાદ કરશે.