જામનગર જિલ્લામાં આ વખતે મગફલીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે. પરંતુ અવ્યવસ્થાના કારણે ગામડાના ખેડૂતો ગઇકાલતી પરેશાન થઇ રહ્યાં છે. તંત્ર દ્વારા ત્રણ દિવસ ટેકાના ભાવની ખરીદ પ્રક્રિયા બંધ કરવામાં આવી છે. જો કે સમયસર જાણ ન કરાતા ખેડૂતો યાર્ડ પહોંચ્યા હતા.
જામનગરમાં તંત્રની અવ્યવસ્થાને કારણે ખેડૂતો હેરાન
ત્રણ દિવસ ટેકાના ભાવે મગફળી ખરીદ પ્રક્રિયા બંધ
સમયસર જાણ ન કરતા ખેડૂતો મગફળી લઇ પહોંચ્યા યાર્ડ
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. પરંતુ જામનગરમાં તંત્રની અવ્યવસ્થાના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઇ રહ્યા છે. જિલ્લા પુરવઠા તંત્રએ ત્રણ દિવસ ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા બંધ કરી છે. જોકે ખેડૂતોને સમયસર જાણ કરવામાં ન આવતા 30થી 40 ખેડૂતો મગફળી લઇને આવી પહોંચ્યા હતા.
માર્કેટિંગ યાર્ડ પહોંચતા ખેડૂતોને જાણ થઇ કે તંત્રએ ત્રણ દિવસ સુધી ખરીદ પ્રક્રિયા બંધ રાખી છે. પરંતુ નફ્ફટ તંત્રએ ખેડૂતોવે કહ્યું કે સોમવાર સુધી ખરીદી થશે નહીં. જો મગફળી પરત લઇને જવી ન હોય તો તમારી જવાબદારીએ યાર્ડના ખુલ્લા મેદાનમાં મુકી જતા રહો.
જેને લઇને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. માત્ર ખેડૂતોને હેરાન કરવા તંત્રએ ત્રણ દિવસ ખરીદી બંધ રાખી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.