આ વર્ષે સારા વરસાદ વચ્ચે સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલખ ઉત્પાદન થયું છે. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. તેવામાં હવે APMC બજાર કરતા ખુલ્લા બજારમાં મગફળીના ભાવ ઊંચા બોલાઇ રહ્યા છે. જને લઇને ખેડૂતોનો પ્રવાહ ખુલ્લા બજાર તરફ વળ્યો છે. બીજી તરફ જૂનાગઢના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તેવામાં હવે કેશોદ APMC ખાતે મગફળી ખરીદી બંધ થતાં ખેડૂતો રોષે ભરાયા છે.
કેશોદ APMC ખાતે મગફળી ખરીદી બંધ થતાં ખેડૂતોમાં રોષ
કોરોનાએ સૌ કોઇની અનેક આશાઓ પર પાણી ફેરવી દીધુ હતુ. અનેક તહેવારો, પર્વો, ઉત્સવો રદ્દ કરવાની ફરજ પડી હતી. જો કે હવે કોરોનાના કેસ ઘટતા અને દિવાળીનો સમય આવતા માર્કેટ ફરીથી ધમધમતા થયા છે. જૂનાગઢના કેશોદ APMCમાં મગફળીની ખરીદી બંધ થતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડુતોએ ટ્રેકટરો રસ્તા પર રાખી દેવામાં આવ્યા છે. તો કેટલાક ખેડૂતો રસ્તા વચ્ચે બેસી ગયા છે.
ખેડૂતોએ રસ્તા પર ઉતરી રસ્તો બંધ કર્યો છે. ટ્રેક્ટર વડે રસ્તો રોકીને ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. વારંવાર ખેડૂતોની મગફળી રિજેક્ટ કરાતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. મગફળી ખરીદીમાં વારંવાર નિયમો બદલાતા હોવાથી ખેડૂતો ત્રસ્ત થયા છે. મહત્વનું છે કે, ઝીણવટભેર ચકાસણી થતી હોવાથી અને મગફળીમાં ભેજધૂળનું પ્રમાણ વધુ જણાય એટલે મગફળી રિજેક્ટ કરવામાં આવતી હોવાથી આવી ખેડૂતો કંટાળી ગયા છે.
અસામાજિક તત્વો ખેડૂતોના પાકને સળગાવી રહ્યાં છે
તો બીજી તરફ જૂનાગઢના વંથલીના વાડલા ગામમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે. અસામાજિક તત્વો ખેડૂતોના પાકને સળગાવી રહ્યાં છે. અડદના પાકને અસામાજિક તત્વોએ સળગાવ્યો છે. વાડલા ગામના ખેડૂતોએ SPને આવેદનપત્ર આપ્યું છે. તાત્કાલિક પગલાં લેવાની ખેડૂતોએ માંગ કરી છે.